AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે.

ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક
know how to check PF balance
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:04 AM
Share

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે સારા સમાચાર છે. રિટાયરમેન્ટ ફંડ દિવાળી પહેલા નાણાંકીય વર્ષ 2020-21 (FY21) માટે વ્યાજ દર જમા કરી શકે છે. અહેવાલો અનુસાર, EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને બોડી હવે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે.

રિપોર્ટ અનુસાર બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) માં વધારો અને મોંઘવારી રાહત સાથે વધુ નાણાં મળશે. જ્યારે કેટલાક દલીલ કરે છે કે નાણાં મંત્રાલયની મંજૂરી માત્ર પ્રોટોકોલની બાબત છે EPFO તેની મંજૂરી વિના વ્યાજ દરને ક્રેડિટ કરી શકતું નથી. EPFO તેના બોર્ડના નિર્ણય અને નાણાકીય સ્થિતિના આધારે આગળ વધવાની અપેક્ષા રાખે છે.

7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર માર્ચમાં બોર્ડે નાણાકીય વર્ષ 21 માટે 8.5% ચૂકવવાની ભલામણ કરી હતી. EPFO એ ગયા નાણાકીય વર્ષમાં અંદાજે રૂ .70,300 કરોડની આવકનો અંદાજ મૂક્યો છે, જેમાં તેના ઇક્વિટી રોકાણોનો એક હિસ્સો વેચવાથી લગભગ 4,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. જોકે, નાણાકીય વર્ષ 2017-18માં તે માત્ર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2019-20 માટે તે 8.5 ટકા છે.

તમારા એકાઉન્ટમાં વ્યાજ આવ્યું છે કે નહીં તે તમે કેવી રીતે જાણશો? અમે તમને ચાર રીતો વિશે જણાવી રહ્યા છે જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચકાસી શકો છો

આ સુવિધા માટે તમારે પહેલા તમારા મોબાઇલમાં Umang App એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે. તમારે તમારો રજિસ્ટર થયેલ ફોન નંબર દાખલ કરવો પડશે. ડાબા ખૂણાના મેનૂ પર જાઓ અને ‘Service Directory’ પર જાઓ. અહીં EPFO વિકલ્પ સર્ચ કરો. અહીં View Passbook ખોલી તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ જાણો.

2. EPFO PORTAL કર્મચારી EPFO પોર્ટલ દ્વારા ખાતાનું બેલેન્સ પણ ચકાસી શકાય છે. આ માટે, તમારે વેબસાઇટ પર લોગિન કરવું પડશે. આ સિવાય ઇ-પાસબુક માટે epfindia.gov.in પર ક્લિક કરો. આ પછી નવું પૃષ્ઠ ખુલશે. અહીં તમારે તમારું વપરાશકર્તા નામ (UAN NUMBER), પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવું પડશે. એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં બધી વિગતો આવશે. હવે અહીં તમારે મેમ્બર આઈડી પસંદ બેલેન્સ જાણી શકાશે.

3. MISS CALL આ માટે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને 011-22901406 પર MISS CALL કરો. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું જરૂરી છે. આ નંબર પર કોલ કર્યા પછી, તમારું બેલેન્સ જાણવા મળશે

4. SMS આ માટે, તે જરૂરી છે કે તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ હોય. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મોકલવાનું રહેશે. આ સેવા અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">