PM મોદી હિરોશિમામાં આ બે જાપાની લોકોને કેમ મળ્યા, જાણો તેમની ખાસિયત
Modi Met Mizokami: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાપાનમાં એક જાપાની નાગરિકને મળ્યા. ટોમિયો મિઝોકામી નામનો જાપાની નાગરિક હિન્દી ભાષામાં નિપુણ છે. તેમને 2018માં 'પદ્મશ્રી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Modi Met Mizokami: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી7 સમિટમાં ભાગ લેવા જાપાનમાં છે. પીએમ કોન્ફરન્સ પહેલા અલગ-અલગ બેઠકો કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન જાપાનના નાગરિક ડૉ.ટોમિયો મિઝોકામીને મળ્યા હતા. ડૉ. ટોમિયો વ્યવસાયે લેખક છે. તે હિન્દી અને પંજાબી ભાષાઓમાં સારી રીતે વાકેફ છે. તેમને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને ભારત અને જાપાન વચ્ચે ગાઢ સંબંધો વધારવાનો શ્રેય આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
જાપાનના હિરોશિમામાં G7 સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાતમાં ડૉ. ટોમિયોએ જાપાનમાં વિશ્વ હિન્દી કોન્ફરન્સનું આયોજન કરવા વિનંતી કરી હતી. તેમનો જન્મ જાપાનના શહેર કોબેમાં થયો હતો, જ્યાં તે સમયે ભારતીયોની મોટી વસ્તી હતી. ભારતીયો હિન્દી બોલતા હતા અને તેની અસર તેમના પર પડી હતી. તે હિન્દી ભાષા શીખવા ઉત્સુક બન્યા હતા. તેમણે હતું કહ્યું કે તે પહેલા પીએમ જવાહરલાલ નેહરુના પ્રશંસક છે.
#WATCH | Hiroshima, Japan | Renowned Japanese author, Hindi & Punjabi linguist, Padma Shri Dr. Tomio Mizokami speaks of his interaction with Prime Minister Narendra Modi in Hindi; also speaks Punjabi.
Dr Mizokami also explains how and why did he learn Hindi. pic.twitter.com/WreTu0ksCz
— ANI (@ANI) May 20, 2023
મિઝોકમી નેહરુના ચાહક છે
ડૉ. ટોમિયો મિઝોકામીએ જણાવ્યું કે તેઓ નેહરુથી ખૂબ પ્રભાવિત છે. તેમના બાળપણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સમયે નહેરુનો નોંધપાત્ર વૈશ્વિક પ્રભાવ હતો. તેઓ બિન-જોડાણવાદી ચળવળના સ્થાપકોમાંના એક હતા. તેઓ સમજાવે છે કે “નેહરુ અમારા જેવા યુવાનો માટે પ્રેરણા હતા, જેઓ શાંતિ અને સ્થિરતા ઇચ્છતા હતા.”
મિઝોકામીને ‘પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે
ઓસાકા યુનિવર્સિટીના ડૉ. ટોમિયો મિઝોકામીને સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન બદલ 2018માં પ્રતિષ્ઠિત ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ તેમને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. અગાઉ 2001માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તેમને ‘હિન્દી રત્ન’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
In Hiroshima, I was glad to interact with Professor Tomio Mizokami. A Padma Awardee, he is a distinguished Hindi and Punjabi linguist. He has made numerous efforts to make Indian culture and literature popular among the people of Japan: PM Narendra Modi pic.twitter.com/0rydLEzXvD
— ANI (@ANI) May 20, 2023
અલ્હાબાદમાં હિન્દીનો અભ્યાસ કર્યો
1941માં જન્મેલા ડૉ. મિઝોકામાએ હિન્દીનો અભ્યાસ કરવામાં લાંબો સમય ભારત અને જાપાનમાં વિતાવ્યો હતો. 81 વર્ષીય મિઝોકામાએ સ્નાતક થયા પછી 1965 થી 1968 સુધી અલ્હાબાદમાં હિન્દીનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેણે પંજાબી અને બંગાળીનું શિક્ષણ પણ મેળવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાની ચિત્રકાર હિરોકો તાકાયામા સાથે પણ મુલાકાત કરી હતી. તે 42 વર્ષ પહેલા ભારત આવી હતી. તેણી કહે છે કે તે ભારતીયોની ભાવનાથી ખૂબ પ્રભાવિત હતી.
આ પણ વાંચો: Japan: રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર મળશે PM મોદી-ઝેલેન્સકી, આ મુલાકાત પર દુનિયાની નજર
PM Modi told me that the painting is very beautiful and he is very happy to accept it. It was 42 years ago that I first visited India. I was very impressed by the spirit of the people who are living on Indian soil. Since then I am infusing the energy and prayer of the Indian… pic.twitter.com/r5wf9S4pYt
— ANI (@ANI) May 20, 2023
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો