AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G-20ના મંચ પરથી વડાપ્રધાન મોદીએ કરી અપીલ, કહ્યું WHO ભારતીય રસીને જલ્દી માન્યતા આપે

પીએમ મોદીએ (PM modi) કહ્યું કે મને આનંદ થાય છે જ્યારે તમારા જેવા નેતાઓ મીટિંગ દરમિયાન વખાણ કરે છે કે કેવી રીતે ભારતે એક વિશ્વસનીય મિત્રની ભૂમિકા ભજવી છે.

G-20ના મંચ પરથી વડાપ્રધાન મોદીએ કરી અપીલ, કહ્યું WHO ભારતીય રસીને જલ્દી માન્યતા આપે
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:25 AM
Share

G20 શિખર સંમેલનના (G20 Summit) પ્રથમ સત્રમાં ગ્લોબલ ઈકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે વન અર્થ-વન હેલ્થના (One Earth-One Health) વિઝનને વિશ્વ સામે રાખ્યું છે. ભવિષ્યમાં આવી કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે આ વિઝન વિશ્વમાં એક મોટી શક્તિ બની શકે છે. આ સાથે જ કહ્યું કે, ફાર્મસી ઓફ ધ વર્લ્ડની ભૂમિકા ભજવતા ભારતે 150થી વધુ દેશોમાં દવાઓ પહોંચાડી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે અમે રસીના સંશોધન અને ઉત્પાદનને વધારવામાં અમારી સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ખૂબ જ ઓછા સમયમાં અમે ભારતમાં 100 કરોડથી વધુ રસીના ડોઝ લગાડી દીધા છે. વિશ્વની છઠ્ઠી વસ્તીમાં સંક્રમણને નિયંત્રિત કરવા માટે ભારતે વિશ્વને સુરક્ષિત કરવામાં પણ યોગદાન આપ્યું છે અને વાયરસના વધુ મ્યુટેશનની સંભાવનાને પણ ઘટાડી છે.

આ મહામારીએ આખા વિશ્વને વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂરિયાત પ્રત્યે ચેતવણી આપી છે. આ સ્થિતિમાં, ભારત એક વિશ્વસનીય ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ માટે ભારતે બોલ્ડ આર્થિક સુધારાને નવી ગતિ આપી છે. અમે બિઝનેસ કરવાની કિંમતમાં ઘણો ઘટાડો કર્યો છે અને દરેક સ્તરે નવીનતા વધારી છે.

પીએમ મોદીએ કહ્યું કે હું G20 દેશોને આમંત્રિત કરું છું કે તેઓ ભારતને તેમની ઇકોનોમિક રીકવરી અને સપ્લાઈ ચેનને વૈવિધ્યકરણમાં તેમનો વિશ્વાસુ ભાગીદાર બનાવે. જીવનનું કદાચ એવું કોઈ પાસું નથી કે જે કોવિડને કારણે વિક્ષેપિત ન થયું હોય. આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતના IT-BPO સેક્ટરને એક સેકન્ડ માટે પણ રોકવા દીધું ના હતું. ચોવીસ કલાક કામ કરીને સમગ્ર વિશ્વને સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે મને આનંદ થાય છે જ્યારે તમારા જેવા નેતાઓ મીટિંગ દરમિયાન વખાણ કરે છે કે કેવી રીતે ભારતે એક વિશ્વસનીય ભાગીદારની ભૂમિકા ભજવી છે. તે આપણી યુવા પેઢીને પણ નવા ઉત્સાહથી ભરી દે છે અને આવું એટલા માટે થયું કારણ કે ભારતે કોઈપણ જગ્યાએથી કામને લગતા અભૂતપૂર્વ ફેરફારો કર્યા છે. 15 ટકા લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ દર વૈશ્વિક નાણાકીય આર્કિટેક્ચરને વધુ ન્યાયી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ભારત 2022 સુધીમાં કોરોના રસીના 5 અબજ ડોઝ બનાવશે: મોદી

પીએમ મોદીએ કહ્યું કે મેં પોતે 2014માં જી-20 બેઠકમાં આ સૂચન કર્યું હતું. આ દિશામાં નક્કર પ્રગતિ કરવા બદલ હું G20નો આભાર માનું છું. ઈકોનોમી રિકવરી માટે આંતરરાષ્ટ્રીય હિલચાલ વધારવી જરૂરી છે. આ માટે આપણે વિવિધ દેશોના રસીના પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા સુનિશ્ચિત કરવી પડશે.

ભારત હંમેશા તેની વૈશ્વિક જવાબદારીઓ પ્રત્યે ગંભીર છે. આજે, આ G20 ફોરમ પર હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત આવતા વર્ષે વિશ્વ માટે 5 અબજથી વધુ રસીના ડોઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ પ્રતિબદ્ધતા કોરોનાના વૈશ્વિક સંક્રમણને રોકવામાં ખૂબ આગળ વધશે અને તેથી તે જરૂરી છે કે ભારતીય રસીને WHO દ્વારા જલ્દીથી માન્યતા આપવામાં આવે.

આ પણ વાંચો  Twitter ટૂંક સમયમાં બ્લુ ટિક સબસ્ક્રાઇબર્સ માટે એક ખાસ ફીચર લાવવા જઈ રહ્યું છે, જાણો શું થશે બદલાવ

આ પણ વાંચો :Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">