ઇન્ડોનેશિયાના (Indonesia) સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવા પરનો સૌથી ઊંચો જ્વાળામુખી (Volcano Erupts) શનિવારે ફાટી નીકળ્યો હતો, જેનાથી આકાશમાં રાખના વાદળ બની ગયા હતા. આ સાથે જ જ્વાળામુખીમાંથી (Volcano) નીકળતા ગેસ અને લાવાથી આસપાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આઘટનામાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે એક નિવેદનમાં, ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સી (BNPB) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં માર્યા ગયેલા 13 લોકોમાંથી બેની ઓળખ થઈ ગઈ છે.
પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે બે સગર્ભા સ્ત્રીઓ સહિત ઓછામાં ઓછા 98 લોકો ઘાયલ થયા છે, જ્યારે પૂર્વ જાવા પ્રાંતમાં સેમેરુની આસપાસના ગામોમાંથી 902 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. બચાવ ટીમ કુરા કોબોકન ગામમાં નદીના કિનારે હજુ પણ સાત લોકોને શોધી રહી હતી અને રેતીના ખાણિયાઓ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કેન્દ્રના વડા, એકો બુડી લેનોએ જણાવ્યું હતું કે સેમેરુની ઉપરનો 3,676-મીટર (12,060 ફૂટ) લાવા ગુંબજ ઘણા દિવસોના વાવાઝોડાને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તે આખરે તૂટી પડ્યો હતો.
એજન્સીએ કહ્યું કે લોકોને જ્વાળામુખીથી 5 કિલોમીટર દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. લુમાજંગ જિલ્લાના વડા થોરીકુલ હકે જણાવ્યું હતું કે, “રાખના ગાઢ ફુગ્ગાએ ઘણા ગામોને આવરી લીધા છે.” તેમણે કહ્યું કે કેટલાક લોકોને અસ્થાયી આશ્રયસ્થાનો અથવા અન્ય સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અંધારાના કારણે લોકોને બહાર કાઢવામાં અડચણ આવી રહી છે.
જ્વાળામુખી ફાટવાની સાથે ગાજવીજ અને વરસાદ પણ થયો હતો. લુમાજંગ અને પડોશી મલંગ જિલ્લાને જોડતો મુખ્ય પુલ તેમજ તેમાંથી વહેતા લાવા અને ધુમાડાના કાટમાળને કારણે નાના પુલને નુકસાન થયું હતું. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ચીફ ઈન્દાહ મસદારે અગાઉ જણાવ્યું હતું કે એક વ્યક્તિનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું જ્યારે 41 અન્ય લોકો દાઝી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં મૃત્યુઆંક વધીને 13 અને ઘાયલોની સંખ્યા 98 થઈ ગઈ. ટેલિવિઝનના અહેવાલોમાં લોકો એશના વિશાળ બલૂન હેઠળ ગભરાટમાં દોડી રહ્યા હતા. તેમના ચહેરા જ્વાળામુખીની ધૂળ અને વરસાદથી ભીંજાયેલા હતા. સેમેરુ છેલ્લે જાન્યુઆરીમાં ફાટી નીકળ્યું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –