AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો

અલ-કાયદાના (Al-Qaeda) આતંકી અબ્દુલ હમીદ અલ-માતર (Abdul Hamid al-Matar) પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે બે દિવસ પહેલા અમેરિકન ચોકી પર હુમલો થયો હતો.

US military Operation: સીરિયામાં અલ-કાયદાના આતંકીનો બોલાવ્યો ખાત્મો, અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં ઠાર માર્યો
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:19 AM
Share

અમેરિકી સેનાએ (US military) સીરિયામાં (Syria) ડ્રોન હુમલામાં અલ-કાયદાના આતંકી અબ્દુલ હમીદ અલ-માતરને  (Abdul Hamid al-Matar) ઠાર માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ આ માહિતી આપી છે. 

યુએસ આર્મી મેજર જ્હોન રિગ્સ્બીએ શુક્રવારે મોડી રાત્રે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ-કાયદાના આ વરિષ્ઠ નેતાની હત્યાથી અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકનારા વૈશ્વિક હુમલાનું કાવતરું રચીને અંજામ નહીં આપી શકે.

મેજર જોન રિગસ્બીએ કહ્યું કે આ હુમલાથી અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે.

રિગસ્બીએ કહ્યું, “અલ-કાયદા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો છે.” અલ-કાયદા સંગઠનને પુનઃ નિર્માણ કરવા, બહારના સાથીઓ સાથે સંકલન કરવા અને બાહ્ય કામગીરીની યોજના બનાવવા માટે સીરિયાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે.

રિગ્સ્બીએ એ જણાવ્યું ન હતું કે, ચોકી પરના હુમલાના જવાબમાં અમેરિકન ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો કે નહીં તેણે એ પણ જણાવ્યું નથી કે સીરિયાના કયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પેન્ટાગનમાં બળવાખોરો દ્વારા નિયંત્રિત ઉત્તર-પશ્ચિમ સીરિયામાં પણ હુમલો કર્યો હતો.

જેમાં અલ-કાયદાના અન્ય વરિષ્ઠ નેતા સલીમ અબુ-અહમદનું મોત થયું હતું. અગાઉનો હવાઈ હુમલો ઇડલિબના ગવર્નરેટ નજીક કરવામાં આવ્યો હતો. ઇદલિબ અને પડોશી અલેપ્પો પાસે મોટા પ્રમાણમાં સીરિયન સશસ્ત્ર જૂથો છે.

અહીં અલ-કાયદા સાથે જોડાયેલા હયાત તાહિરી અલ-શામ સહિત સશસ્ત્ર જૂથોનું પ્રભુત્વ ધરાવે છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધે એક જટિલ યુદ્ધભૂમિ બનાવી છે, જેમાં અલ-કાયદાથી જોડાયેલા મિલિશિયા અને અન્ય સશસ્ત્ર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ અને વિદેશી દળો સામેલ છે. 2011માં શરૂ થયું ત્યારથી યુદ્ધમાં લગભગ 5 લાખ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો : ચીનની દરેક નાપાક હરકતનો જડબાતોબ જવાબ આપવા ભારતે પ્લાન કર્યો મજબૂત, એક્શનમાં જોવા મળ્યા સૈનિકો

આ પણ વાંચો : Jammu-Kashmir : હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ અને 15 વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ, અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

Follow Us
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
g clip-path="url(#clip0_868_265)">