AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War Casualties: યુક્રેનનો દાવો, યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, ટેન્ક અને હેલિકોપ્ટરનો બોલાવ્યો ખાત્મો

Russia-Ukraine War Casualties:યુક્રેનની સેના(Ukraine Army)એ કહ્યું કે, 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીના યુદ્ધમાં 12,000 રશિયન સૈનિકો માર્યા ગયા.

Russia Ukraine War Casualties: યુક્રેનનો દાવો, યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, ટેન્ક અને હેલિકોપ્ટરનો બોલાવ્યો ખાત્મો
યુદ્ધમાં 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, યુક્રેનનો દાવોImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:16 PM
Share

Russia Ukraine War Casualties: રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચેના યુદ્ધને કારણે અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે 24 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆતથી 7 માર્ચ સુધી 12 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય તેના ઘણા હથિયારો અને સૈન્ય વાહનોને પણ નષ્ટ કરવામાં આવ્યા છે. રશિયાએ પણ હજારો યુક્રેન (Ukraine) સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 24 ફેબ્રુઆરીથી જ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું.

આ યુદ્ધના કારણે મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં લાખો લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરી ચૂક્યા છે.

યુક્રેન (Ukraine)ની સેનાએ કહ્યું કે 24 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીના યુદ્ધમાં 12,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો ખરેખર આટલી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે, તો તે અફઘાનિસ્તાન યુદ્ધમાં સોવિયત સંઘ દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને વટાવી ગઈ છે. અફઘાનિસ્તાનમાં 80ના દાયકામાં ફાટી નીકળેલા યુદ્ધમાં 10,000 સૈનિકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં રશિયન સેનાની 303 ટેન્ક નષ્ટ થઈ ચૂકી છે. આ સિવાય 1036 આર્મર્ડ કોમ્બેટ વ્હીકલ, 120 આર્ટિલરી સિસ્ટમ, 56 MLRS અને 27 એર ડિફેન્સ સિસ્ટમને પણ નષ્ટ કરવામાં આવી છે. સમયે, યુક્રેનની સેનાએ કહ્યું કે 48 રશિયન એરક્રાફ્ટ, 80 હેલિકોપ્ટર, 474 ઓટોમેટિક ટેક્નોલોજી અને 3 જહાજોને ઉડાવી દેવામાં આવ્યા છે.

સુમીમાં સલામત કોરિડોર માટે સર્વસંમતિ

રશિયન હુમલાઓથી નાગરિકોને બચાવવા માટે યુક્રેનના પૂર્વીય શહેર સુમીમાં મંગળવારે એક સુરક્ષિત કોરિડોર ખોલવામાં આવ્યો હતો. યુક્રેનના વડા પ્રધાન ઇરિના વેરેશચુકે મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વી શહેર સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે બંને પક્ષો યુક્રેનના સમય મુજબ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે જણાવ્યું હતું કે સુમીમાંથી હાંકી કાઢવામાં આવેલા લોકોમાં ભારત અને ચીનના વિદેશી વિદ્યાર્થીઓ પણ સામેલ છે. બસો અથવા ખાનગી કારમાં નાગરિકોનો પ્રથમ કાફલો યુક્રેનિયન શહેર પોલ્ટાવા માટે રવાના થયો છે.

20 લાખ લોકોએ દેશ છોડી દીધો

યુનાઇટેડ નેશન્સ અનુસાર, મંગળવારે યુક્રેન છોડનારા શરણાર્થીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી ગઈ છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટું સ્થળાંતર છે. શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ ટ્વિટર પર લખ્યું, “આજે યુક્રેન છોડીને જતા શરણાર્થીઓની સંખ્યા 2 મિલિયન છે.” આ લોકોએ યુક્રેનના પાડોશી દેશોમાં આશરો લીધો છે.

આ પણ વાંચો : Russia Attacks Ukraine: રશિયાએ યુક્રેનમાં 500 કિલોનો બોમ્બ ફેંક્યો, નિર્દોષ લોકોના મોત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">