Afghanistanમાં ‘આઝાદી’ માણી રહ્યા છે આતંકવાદી, Taliban સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય: United Nations

UN Report on Afghanistan: યુનાઈટેડ નેશન્સે અફઘાનિસ્તાન પર એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે તાલિબાન હેઠળ આતંકવાદીઓ અહીં વધુ આઝાદી માણી રહ્યા છે.

Afghanistanમાં 'આઝાદી' માણી રહ્યા છે આતંકવાદી, Taliban સત્તામાં આવતા ત્રાસવાદીઓને સુરક્ષિત આશ્રય: United Nations
Terrorists enjoying full freedom in Afghanistan under Taliban (Representational image- AFP)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 1:46 PM

સંયુક્ત રાષ્ટ્રના (United Nations) નિષ્ણાતોએ સોમવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાજેતરમાં સત્તા પર આવેલ તાલિબાનના અલ-કાયદા સાથે ભૂતકાળના સંબંધોને કારણે અફઘાનિસ્તાન ઉગ્રવાદીઓ અને આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે અને હાલ તેમણે અફઘાનિસ્તાનની ધરતી પર વધુ સ્વતંત્રતા મળી છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અલ-કાયદા (Al-Qaeda) અને ઈસ્લામિક સ્ટેટ જૂથ (Islamic State) બંને સાથે જોડાયેલા ઉગ્રવાદીઓ સફળતાપૂર્વક આફ્રિકામાં ખાસ કરીને અશાંત અને તણાવગ્રસ્ત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે ઈસ્લામિક સ્ટેટ ઈરાક અને સીરિયામાં ગ્રામીણ બળવાખોરીના કાર્યમાં સક્રિય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ બંનેએ પણ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પગલાં લીધા છે. અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સામેના પ્રતિબંધોની દેખરેખ માટે નિષ્ણાતોની સમિતિએ યુએન સુરક્ષા પરિષદને (United Nations Security Council) સુપરત કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે 20 વર્ષની અરાજકતા બાદ અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન-NATO) સૈનિકોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટે સત્તાપલટ અને ત્યારથી 2021ના છેલ્લા છ મહિનામાં ઘણી ઘટનાઓ બની છે.

તાલિબાને કોઈ કાર્યવાહી કરી નથી

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “તાલિબાને દેશમાં વિદેશી આતંકવાદીઓની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે પગલાં લીધાં હોય તેવા કોઈ સંકેત દેખાતા નથી,” પરંતુ તેનાથી વિપરીત, આતંકવાદી સંગઠનો “આત્યંતિક સ્વતંત્રતા” માણી રહ્યાં છે. જો કે, યુએનના સભ્ય દેશોએ “અફઘાનિસ્તાનમાં વિદેશી આતંકવાદીઓની હાજરી અંગે કોઈ માહિતી પ્રદાન કરી નથી.” નિષ્ણાતોએ નોંધ્યું કે અલ-કાયદાએ 31 ઓગસ્ટના રોજ એક નિવેદન બહાર પાડીને તાલિબાનને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ બાદ અલ-કાયદાએ વ્યૂહાત્મક મૌન જાળવી રાખ્યું છે. કદાચ આ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાના તાલિબાનના પ્રયાસોને નુકસાન ન પહોંચાડવાનો પ્રયાસ હોઈ શકે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માને છે કે અફઘાનિસ્તાન હાલત ખૂબ જ ખરાબ છે.’ અલ કાયદા પણ ચૂપ છે જેથી તાલિબાન સરકારને વૈશ્વિક માન્યતા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. એવા પણ અહેવાલ હતો કે ઓસામા બિન લાદેનનો પુત્ર અબ્દલ્લા ગત વર્ષે ઓક્ટોબરમાં તાલિબાન સાથે બેઠક કરવા અફઘાનિસ્તાન ગયો હતો.

આ પણ વાંચો: રશિયા સાથે તણાવ વધ્યો Joe Bidenને યુક્રેનમાં રહેતા અમેરિકનોને દેશ છોડવા કહ્યું

આ પણ વાંચો: Hyundai બાદ હવે KFC અને Pizzahut એ પણ ઓકયું ઝેર, POKના સમર્થનમાં કરી પોસ્ટ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">