ઑસ્ટ્રિયામાં રસી ફરજિયાત બનાવવા પર હંગામો, હજારો લોકોએ કર્યું પ્રદર્શન, કહ્યું- ‘રસીની ફાસીવાદ મંજૂર નથી’
સરકારે કહ્યું કે, રસીકરણ માટે કોઈને દબાણ કરવામાં આવશે નહીં. પરંતુ જે લોકો રસી લેવાનો ઇનકાર કરે છે, તેમને 600 યુરો (લગભગ 51 હજાર રૂપિયા)નો દંડ ચૂકવવો પડશે, જે 3600 યુરો (ત્રણ લાખ રૂપિયા) સુધી જઈ શકે છે.
Covid Vaccine : ઑસ્ટ્રિયા (Austria) ની રાજધાની વિયેના(Vienna) માં, હજારો લોકો એકઠા થયા હતા અને ફરજિયાત કોવિડ રસી (Covid Vaccine) અને રસી ન મેળવનારાઓ માટે ઘરલું કારાવાસના આદેશનો વિરોધ કરવા સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું કે શનિવારે અંદાજિત 44 હજાર લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઓસ્ટ્રિયામાં છેલ્લા સપ્તાહના અંતથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. કોવિડ રસીકરણ (Covid Vaccinations)ને ફરજિયાત બનાવનાર યુરોપિયન યુનિયન(European Union)માં ઓસ્ટ્રિયા પહેલો દેશ બન્યો છે.
જેમને હજુ સુધી રસી નથી મળી, તેઓએ ઘરે જ રહેવું પડશે. લોકોએ બેનરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. એક બેનરમાં લખેલું હતું કે, ‘વેક્સિન ફાસીઝમ નોટ એક્સેપ્ટેડ’ ફેબ્રુઆરીથી 14 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. માત્ર એવા લોકો કે જેઓ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને રસીકરણ (Vaccination)માંથી મુક્તિ આપવામાં આવી છે.
રસી ન લેવા બદલ આવો દંડ વસૂલવામાં આવશે
સરકારે કહ્યું કે રસીકરણ માટે કોઈને દબાણ કરવામાં આવશે નહીં. પરંતુ જે લોકો રસી લેવાનો ઇનકાર કરે છે, તેમને 600 યુરો (લગભગ 51 હજાર રૂપિયા)નો દંડ ચૂકવવો પડશે, જે 3600 યુરો (ત્રણ લાખ રૂપિયા) સુધી જઈ શકે છે. વિરોધ કરનાર મેન્યુએલા, 49, જણાવ્યું હતું કે તે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા રાજધાની ગઈ હતી. તેમણે પૂછ્યું કે જે લોકોને રસી આપવામાં આવી નથી તેમને શા માટે બહાર રાખવામાં આવ્યા છે. વિરોધીએ કહ્યું કે બાળકોને શાળા અને અન્ય સ્થળોએ જતા રોકવામાં આવે તે ખૂબ જ ભેદભાવપૂર્ણ છે.
ઑસ્ટ્રિયન લોકો રસી વિશે ભયમાં છે
ઑસ્ટ્રિયાની 68 ટકા વસ્તી સંપૂર્ણપણે રસીકરણ લઈ લીધું છે, પરંતુ તે હજુ પણ પશ્ચિમ યુરોપ(Western Europe)માં સૌથી ઓછો રસીકરણ દર ધરાવે છે. ઘણા ઑસ્ટ્રિયન નાગરિકો રસી વિશે શંકાસ્પદ છે. રસી વિશેના આ ડરને સંસદમાં ત્રીજી સૌથી મોટી દૂર-જમણેરી ફ્રીડમ પાર્ટી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. હર્બર્ટ કિકલની આગેવાની હેઠળની ફ્રીડમ પાર્ટીએ શનિવારે અનેક જૂથો સાથે રેલીઓનું આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો : SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત