SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત
Surendranagar Accident : આ આકસ્માત એટલો ભીષણ હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયાના પણ સામચાર છે.
SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. આ હાઈવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ આકસ્માત એટલો ભીષણ હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયાના પણ સામચાર છે. આજે સવારે સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે એક મોટો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર-અમદાવાદ બસ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર ભાસ્કરપરા ગામ અને છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, આ સાથે 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત થતી માહિતી મૂજબ આજે વહેલી સવારે સુરેન્દ્રનગરથી ઉપડેલી સુરેન્દ્રનગર-અમદાવાદ બસ લ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇ-વે પર ભાસ્કરપરા ગામ અને છરાદ ગામ પાસે ધડાકાભેર અથડાઈ હતી. એસટી બસની સાથે સામેથી આવી રહેલી ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ ખાનગી બસ તેની આગળ જતા વાહનને ઓવરટેક કરતા સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાતા 15થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
