Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 18 પોલીસ સહીત 20 ઘાયલ, તહરીક-એ-તાલીબાન પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયો ફીદાયીન હુમલો

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં  આત્મઘાતી હુમલો, 18 પોલીસ સહીત 20 ઘાયલ, તહરીક-એ-તાલીબાન પાકિસ્તાને લીધી હુમલાની જવાબદારી
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ - પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 5:23 PM

Bomb Blast in Pakistan : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રવિવારે સવારે એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ છે કે આ આત્મઘાતી હુમલો ક્વેટાના મસ્તુંગ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર થયો હતો. બલૂચિસ્તાન કાઉન્ડર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) એ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સોહાના ખાન એફસી ચેકપોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી (Pakistan Bomb Blast Today). પ્રવક્તાએ કહ્યું કે સીટીડીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

વિસ્ફોટ બાદ તરત જ પોલીસ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને બચાવ અધિકારીઓ આ વિસ્તારમાં દોડી ગયા હતા. ઘાયલોને શેખ ઝૈદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરે તેની મોટરસાઇકલને ચેકપોસ્ટ પર કાયદા અમલીકરણ એજન્સીના વાહનમાં ઘુસાડી દીધી. જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ બોમ્બ ડિસ્પોઝલ યુનિટ તપાસ માટે સ્થળ પર પહોંચી ગયું હતું. આ દરમિયાન, હવે સમાચાર મળ્યા છે કે પાકિસ્તાન તહરીક-એ-તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ હુમલામાં ફ્રન્ટીયર કોર્પ્સ (પાકિસ્તાન સુરક્ષા દળ) ને નિશાન બનાવવામાં આવ્યું છે.

તાલિબાનના આગમન સાથે પાકિસ્તાન પર હુમલા વધ્યા

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

જ્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાનની પકડ મજબૂત થઈ છે ત્યારથી પાકિસ્તાન પર ટીટીપીના હુમલા વધ્યા છે. પાકિસ્તાને ટીટીપીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ જ કારણ છે કે તે તાલિબાનને મળી રહ્યો છે અને વારંવાર ટીટીપી આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની માંગ કરી રહ્યો છે.

તાજેતરમાં, પાકિસ્તાનને એક ઝટકો લાગ્યો જ્યારે તાલિબાને કહ્યું કે પાકિસ્તાને પોતે પાકિસ્તાન પર TTP હુમલાનો સામનો કરવો જોઈએ. તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી, અલગ અલગ હુમલામાં ઓછામાં ઓછા 52 પાકિસ્તાની સુરક્ષા દળો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.

ગયા મહિને પણ ભયાનક હુમલો

ગત મહિનાની શરૂઆતમાં પણ બલુચિસ્તાનના જારઘુન રોડ પર યુનિવર્સિટી ચોકમાં પોલીસ વાન પર નિશાન બનાવીને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 15 પોલીસકર્મીઓ સવાર હતા. આમાંથી બે પોલીસકર્મી માર્યા ગયા અને બાકીના ઘાયલ થયા (Pakistan TTP Attack). નિષ્ણાતોનું કહેવું છે કે અલબત્ત પાકિસ્તાન વિચારે છે કે તેણે હંમેશા તાલિબાનને મદદ કરી છે, તેથી તે તેને કોઈ નુકસાન નહીં કરે, તો તે ખોટું છે.

આ પણ વાંચો :  Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

g clip-path="url(#clip0_868_265)">