AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ

શ્રીલંકામાં એક ભારતીય માછીમારના છુટકારાની કિંમત સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. શ્રીલંકાની અદાલતે દરેક ભારતીય માછીમારને છોડાવવાની કિંમત 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. હાલમાં તેમની પાસે 85 ભારતીય બોટ છે.

Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ
શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયાImage Credit source: Symbolic PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 12:25 PM
Share

srilanka: તામિલનાડુના રામનાથપુરમના માછીમારો શ્રીલંકા (Srilanka)ની અદાલત દ્વારા નક્કી કરાયેલી રકમથી ચોંકી ગયા છે. કોર્ટે દરેક ભારતીય માછીમાર (Indian fishermen)ની મુક્તિ માટે 2 કરોડ રૂપિયાની જામીન રકમ નક્કી કરી છે. ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશનના ટોચના સભ્યએ આ માહિતી આપી હતી. શ્રીલંકાની નૌકાદળે 23 માર્ચે 13 ભારતીય માછીમારોની તેમના દેશની જળસીમામાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશન (Boat Association)ના પ્રમુખ પી. જેસુરાજે જણાવ્યું હતું કે “અમને એ સાંભળીને આશ્ચર્ય થયું છે કે કોર્ટે દરેક માછીમારના છુટકારા માટે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.

માછીમારો 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરશે? જો તેની પાસે આટલી મોટી રકમ હોત તો તે આ વ્યવસાયમાં કેમ આવ્યા હોત, જેસુરાજના જણાવ્યા અનુસાર 85 ભારતીય બોટ હજુ પણ શ્રીલંકાના કબજામાં છે. અભિનેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મૈયમે પણ એક સંદેશમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે શ્રીલંકાની અદાલતે ગરીબ માછીમારોની મુક્તિ માટે જામીન તરીકે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.

ગયા મહિને ભારત સરકારે કહ્યું હતું કે તે શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતનો મુદ્દો પાડોશી દેશ સાથે ઉચ્ચ સ્તરે ઉઠાવી રહી છે. જણાવી દઈએ કે આ મુદ્દે બંને દેશો વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક પણ યોજાઈ હતી.

આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ધારાશાસ્ત્રીઓએ કહ્યું હતું કે શ્રીલંકન નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં તમિલનાડુના માછીમારોને હેરાન કરવાનું ચાલુ રાખે છે અને વર્ષોથી મોટી સંખ્યામાં માછીમારોની અટકાયત કરવામાં આવી છે અને તેમની બોટ જપ્ત કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રીએ આ વિષય પર જણાવ્યું હતું કે ભારત સરકાર તેના નાગરિકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પછી ભલે તે વિદ્યાર્થીઓ, કામદારો અથવા કોઈપણ ભારતીય નાગરિક હોય.

ભારતીય માછીમારોનો મુદ્દો શ્રીલંકા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. ઉચ્ચતમ સ્તરે આના પરિણામે મોટી સંખ્યામાં માછીમારોને મુક્ત કરવામાં અને પરત મોકલવામાં આવ્યા. મુરલીધરને એ પણ માહિતી આપી હતી કે, શ્રીલંકાની કસ્ટડીમાં રહેલા માછીમારોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ મામલો ગંભીર ચિંતાનો અને અત્યંત મહત્વનો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો  : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">