યુક્રેનના અશાંત પૂર્વ ભાગમાં સરહદ પર ભારે ગોળીબાર, જીપીએસ સિગ્નલ જામને કારણે ડ્રોન અને મોબાઈલ નેટવર્ક ખોરવાયા
હાલમાં રશિયા અને યુક્રેન આમને-સામને છે અને લાગે છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. વિશ્વભરના નેતાઓ આ સંઘર્ષનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પૂર્વી યુક્રેનની (Ukraine) સરહદ પર ગુરુવારે ભારે ગોળીબાર થયો. જ્યારે GPS સિગ્નલ જામ થઈ ગયા અને મોબાઈલ ફોન નેટવર્ક બંધ થઈ ગયા ત્યારે યુદ્ધવિરામ મોનિટરિંગ ડ્રોન ભટકાઈ ગયા. યુક્રેનિયન સૈનિકો સામે રશિયન (Russia) સમર્થિત અલગતાવાદીઓ વર્ષોથી લડતા હોય તેવા વિસ્તારમાં શાંતિ જાળવવાનું કામ કરતા આંતરરાષ્ટ્રીય વોચડોગ્સના જૂથે ગુરુવારે જણાવ્યું હતું કે 24 કલાકમાં 300 થી વધુ વિસ્ફોટ થયા છે. આ સંખ્યા પાછલા મહિના કરતાં લગભગ ચાર ગણી વધારે છે. વિશ્વ યુક્રેનની સરહદ નજીક રશિયન સૈનિકોના એકત્રીકરણ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ગુરુવારે સ્ટેનિત્સ્યા લુશંકા ગામમાં ગોળીબાર થયો હતો. યુક્રેનના એક સૈન્ય કમાન્ડરે જણાવ્યું હતું કે હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને અડધા ગામનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. એક તોપનો ગોળો કિન્ડરગાર્ટનમાં પડ્યો હતો. સ્કૂલના ડિરેક્ટર ઓલેના યારિયાનાએ કહ્યું, “અમે કાચ તૂટવાનો અવાજ સાંભળ્યો. બાળકો ખૂબ ડરી ગયા અને કેટલાક બાળકો તરત જ રડવા લાગ્યા. ત્યારબાદ વીસ મિનિટ સુધી ધડાકાઓ ચાલુ રહ્યા.
ઓર્ગેનાઈઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન યુરોપના નિરીક્ષકો અનુસાર, એક દિવસમાં યુદ્ધવિરામ ભંગની લગભગ 600 ઘટનાઓ બની હતી. તેમના જણાવ્યા મુજબ, જીપીએસ સિગ્નલ જામ થતાં તેમના ત્રણ ડ્રોન ભટકી ગયા હતા. મોબાઈલ ફોન નેટવર્ક જતું રહ્યું.
હાલમાં રશિયા અને યુક્રેન આમને-સામને છે અને લાગે છે કે બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. વિશ્વભરના નેતાઓ આ સંઘર્ષનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે શંકા વધી રહી છે. નાટો સહયોગીઓએ રશિયાના એ દાવાને ફગાવી દીધો છે કે તે સરહદ પરથી સૈનિકો હટાવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 150,000 સૈનિકો એકઠા કર્યા છે.
રશિયા આ સૈનિકો સાથે શું કરી રહ્યું છે તે અંગે પશ્ચિમી દેશોમાં ચિંતા વધી ગઈ છે. એવો અંદાજ છે કે કુલ રશિયન ભૂમિ સૈનિકોમાંથી 60 ટકા યુક્રેનની સરહદ પર તૈનાત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને અમેરિકી ગુપ્તચર એજન્સીઓના એક નિષ્કર્ષની માહિતી આપી, જેના પર યુએસ અને બ્રિટને આશા વ્યક્ત કરી કે તેઓ હુમલાના કોઈપણ પ્રયાસનો ખુલાસો કરશે. જો કે, યુએસએ તેના દાવાને સમર્થન આપવા માટે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો –
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એર ઈન્ડિયા બની ‘દેવદૂત’, 22 ફેબ્રુઆરીથી ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરશે, જાણો કેવી રીતે થશે બુકિંગ
આ પણ વાંચો –