વડાપ્રધાન, ગૃહ મંત્રી અને …. ઈમરાન ખાને જણાવ્યુ કે તેમના પર કોણે કોણે કરાવ્યો હુમલો
પાર્ટીનો દાવો છે કે ઈમરાનની હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળ વડાપ્રધાન શહબાજ શરીફ સહિત 3 લોકો હોય શકે છે.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર આજે ગોળીબાર કરી મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના ડાબા પગ પર ગોળીઓ વાગી હતી. તેમને તરત લાહોરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં તેમના પગનું હાડકુ તૂટી ગયુ હતુ. તે બધા વચ્ચે પાકિસ્તાનમાં રાજકીય વાતાવરણ ફરી ગરમ થયુ છે. ઈમરાન ખાનની પાર્ટી આ હુમલાને લઈને સરકાર વિરુદ્ધ આક્રમક બની છે. પાર્ટીનો દાવો છે કે ઈમરાનની હત્યા કરવાના ઈરાદાથી આ હુમલો કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળ વડાપ્રધાન શહબાજ શરીફ સહિત 3 લોકો હોય શકે છે.
પીટીઆઈ નેતા અસદ ઉમરે એક વીડિયો શેયર કરીને કહ્યુ છે કે, પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને ત્રણ નામ આપ્યા છે, જે આ હુમલા પાછળ હોય શકે છે. તેમણે જણાવ્યુ કે ઈમરાન ખાને અમને બોલાવીને પોતાની તરફથી આ સંદેશ તમારા સુધી પહોંચાડવા કહ્યુ છે. તેમને આ પહેલા પણ આ જાણકારી મળી હતી. તેમના મતે આ હુમલામાં વડાપ્રધાન શહબાજ શરીફ, ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહ ખાન અને મેજર જનરલ ફેસલ નસીર સામેલ છે. હાલ પાકિસ્તાનમાં આ હુમલાને કારણે ઉગ્ર અને હિંસક પ્રદર્શન થઈ રહ્યુ છે. મળતી માહિતી અનુસાર ગૃહ મંત્રીના ઘરની બહાર પણ ગોળીબાર થયો છે. પણ તેમા કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
Secretary General PTI @Asad_Umar’s exclusive message after assassination attempt on Imran Khan. 1/2 #عمران_خان_ہماری_ریڈ_لائن_ہے pic.twitter.com/a6TXu9hjXS
— PTI (@PTIofficial) November 3, 2022
પાકિસ્તાનના વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
I condemn the incident of firing on PTI Chairman Imran Khan in the strongest words. I have directed Interior Minister for an immediate report on the incident.
I pray for the recovery and health of PTI chairman & other injured people. 1/2
— Shehbaz Sharif (@CMShehbaz) November 3, 2022
હાલના પાકિસ્તાનના વડાપ્રધાને શહબાજ શરીફે આ ઘટનાની નિંદા કરતા ટ્વિટ કરી છે કે, હું આ હુમલાની નિંદા કરુ છું. મેં ગૃહ મંત્રીને ઘટના અંગેનો રિપોર્ટ આપવાના નિર્દેશ કર્યો છે. તેમણે તમામની રિકવરી અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે.