Umrah pilgrimage: ઉમરાહ યાત્રા કરતા પહેલા કરવું પડશે આ કામ તો જ મળશે દેશમાં પ્રવેશવાની મંજૂરી, વાંચો કેટલા લોકોને મળશે પ્રવેશ

સાઉદી અરેબિયાએ (Saudi Arabia) જે મુસાફરોએ કિંગ્ડમ દ્વારા માન્ય રસી લીધી છે તેઓને ઉમરાહ યાત્રા (Umrah pilgrimage) માટે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે.

Umrah pilgrimage: ઉમરાહ યાત્રા કરતા પહેલા કરવું પડશે આ કામ તો જ મળશે દેશમાં પ્રવેશવાની મંજૂરી, વાંચો કેટલા લોકોને  મળશે પ્રવેશ
Mecca
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:28 AM

Umrah pilgrimage: સાઉદી અરેબિયા (Saudi Arabia) સોમવારથી પવિત્ર શહેર મક્કામાં (Mecca) ઉમરાહ યાત્રા (Umrah pilgrimage) માટે ફૂલી વેક્સીનેટેડ વિદેશી યાત્રાળુઓને રાજ્યની મુલાકાત લેવાની મંજૂરી આપશે. અધિકારીઓ સોમવારથી મુસાફરીની વિનંતીઓ સ્વીકારશે. કોરોના મહામારીને કારણે કિંગડમે 18 મહિના પહેલા તેની સરહદો બંધ કરી દીધી હતી. ફૂલી વેક્સીનેટેડ નાગરિકોને 1 ઓગસ્ટથી દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.

ગત મહિને માત્ર 60,000 વેક્સીનેટેડ નાગરિકોને હજમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. હજ એ મક્કાની યાત્રા છે. મુસ્લિમોએ તેના જીવન દરમિયાન આ યાત્રા એક વાર કરવી જોઈએ.ઉમરાહ યાત્રા વર્ષના કોઈપણ સમયે થઈ શકે છે અને વિશ્વભરમાંથી લાખો લોકો આ યાત્રા માટે સાઉદી અરેબિયા પહોંચે છે. યાત્રાળુઓ પવિત્ર શહેર મદીનાની પણ મુલાકાત લઈ શકે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં સાઉદી અરેબિયા દર મહિને માત્ર 60,000 યાત્રાળુઓને ઉમરાહ કરવાની પરવાનગી આપશે.

આ પછી તેને દર મહિને 20 લાખ ભક્તો સુધી વધારી દેવામાં આવશે. પરંતુ મુસાફરોએ સાઉદી અરેબિયા દ્વારા માન્ય રસી મેળવવી પડશે. કિંગડમે ફાઈઝર/બાયોએન્ટેક, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના અને જોન્સન એન્ડ જોહ્ન્સન રસીઓને મંજૂરી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

8,300 થી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા નાયબ હજ મંત્રી અબ્દુલફત્તાહ બિન સુલેમાન મશાતએ કહ્યું હતું કે, જરૂર પડ્યે વિદેશી પ્રવાસીઓને પણ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડી શકે છે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 5,32,000 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. કોવિડથી અત્યાર સુધીમાં 8,300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તે કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા આરોગ્ય કર્મચારીઓના પરિવારોને વળતર આપશે. ગયા વર્ષે જ તેણે કહ્યું હતું કે પીડિતોના પરિવારોને પાંચ લાખ રિયાલ આપવામાં આવશે. રિયાધ તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે તેના પર્યટન ઉદ્યોગના નિર્માણ માટે અબજો ડોલર ખર્ચ્યા છે.

રાજ્યમાં 97.5 લાખ સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું સાઉદી અરેબિયાની સરકારે તેના રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે, જેથી પ્રવાસન સહિત કોરોનાથી પ્રભાવિત અન્ય ક્ષેત્રોને પુનર્જીવિત કરી શકાય. સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશતા દરેક વ્યક્તિ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમાં શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન સ્થળો અને જાહેર પરિવહનનો પણ સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયામાં, લગભગ 2.9 કરોડ લોકોને રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી છે. તે જ સમયે, ફૂલી વેક્સીનેટેડ કરનારા લોકોની સંખ્યા 97.5 લાખ છે.

આ પણ વાંચો : Mumbai Local Train: CM ઉદ્ધવ ઠાકરેની મહત્વની જાહેરાત, મુંબઈમાં લોકલ ટ્રેન 15 ઓગસ્ટથી થશે શરૂ

આ પણ વાંચો : IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">