Russia: હુમલા કે ધરપકડનો ડર? G-20 બેઠકમાં ભાગ લેવા ભારત નહીં આવે પુતિન

આવતા મહિને રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. રશિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સમિટમાં સામેલ થશે નહીં. પુતિન વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પણ તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

Russia: હુમલા કે ધરપકડનો ડર? G-20 બેઠકમાં ભાગ લેવા ભારત નહીં આવે પુતિન
Russian president vladimir putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 7:40 PM

આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. આ દરમિયાન અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સંગઠનના પ્રમુખ દિલ્હી આવશે. ચર્ચા થઈ રહી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પણ દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટની બેઠકમાં સામેલ થઈ શકે છે. પરંતુ રશિયાએ આ અટકળોને સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે અને કહ્યું છે કે પુતિન ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં સામેલ થશે નહીં.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવનું કહેવું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં ભાગ લેવાની કોઈ યોજના નથી. આ બેઠક સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાવાની છે અને તેમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન પર ચર્ચા થવાની હતી.

BRICSની બેઠકમાં પણ ન પહોંચ્યો પુતિન

રશિયન રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી BRICS સમ્મેલનની બેઠકમાં પણ હાજરી આપી ન હતી. પુતિને BRICS બિઝનેસ ફોરમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું. BRICS બેઠકમાં પુતિનના બદલે વિદેશ મંત્રી સરજઈ લાવરોવ દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.

અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન
5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી
ઊંડા શ્વાસ (Deep Breathing) થી શરીરને થાય છે આ 5 ચોંકાવનારા ફાયદા
હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી શરીર પર લગાવવાના 6 ગજબ ફાયદા, જાણો

વિદેશ પ્રવાસ પર થઈ શકે છે પુતિનની ધરપકડ?

રાષ્ટ્રપતિ પુતિન રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની શરૂઆતથી આવી કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠનના મંચ પર વ્યક્તિગત રીતે પહોંચ્યા નથી. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ પુતિન વિરુદ્ધ યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. રશિયાએ પણ ICCના આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે. એવું કહેવાય છે કે જો પુતિન આ વોરંટ પછી કોઈ અન્ય દેશમાં જાય છે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

વૈગનરના સમર્થકો તરફથી હુમલાનો ડર?

પુતિનના વિરોધી ગણાતા વેગનર ગ્રુપના પ્રિગોજિન વૈગનરનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આવામાં એવું માનવામાં આવે છે કે વૈગનરના 25 હજારથી વધુ સમર્થકો હુમલાની તૈયારી કરી રહ્યા છે. આ હુમલો પુતિન પર પણ થઈ શકે છે. આ પ્રકારની G-20 બેઠકમાં સામેલ ન થવા પાછળનું એક કારણ પુતિનની સુરક્ષાને પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: America: ચૂંટણી પલટાવવા માટે ષડયંત્ર રચવુ પડ્યુ ભારે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ આત્મસમર્પણ

દિલ્હીમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે G-20ની બેઠક

આ શક્યતાઓ વચ્ચે રશિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન આવતા મહિને ભારતમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં સામેલ થશે નહીં. ભારત આ વખતે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન દેશના અલગ-અલગ શહેરોમાં G-20 સમિટની અલગ-અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે G-20ની બેઠક રાજધાની દિલ્હીમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">