America: ચૂંટણી પલટાવવા માટે ષડયંત્ર રચવુ પડ્યુ ભારે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ આત્મસમર્પણ

ડોનાલ્ડ ટ્રમ્પ પર જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીને પલટાવવા માટે ગેરકાયદેસર રીતે આયોજન કરવાનો આરોપ છે. આ કિસ્સામાં તેણે આત્મસમર્પણ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો જેલની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

America: ચૂંટણી પલટાવવા માટે ષડયંત્ર રચવુ પડ્યુ ભારે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ આત્મસમર્પણ
Donald Trump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 7:32 AM

America: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચૂંટણી પરિણામને પલટાવવાના પ્રયાસના કેસમાં ગુરુવારે એટલાન્ટાની ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. જો કે, આ પછી ડોનાલ્ડ ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ન્યુ જર્સી પરત ફરવા માટે એરપોર્ટ ગયા હતા.

તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ પર જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીને પલટાવવા માટે ગેરકાયદેસર રીતે આયોજન કરવાનો આરોપ છે. આ કિસ્સામાં તેણે આત્મસમર્પણ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો જેલની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અહીં તેમણે વિરોધ પણ કર્યો હતો. જણાવી દઈએ કે ટ્રમ્પ વિરુદ્ધ એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: Russia News: પુતિન, બાઈડન કે ઝેલેન્સકી? છેવટે, પ્રિગોઝીનને મારી નાખવાનો આદેશ કોણે આપ્યો

જે કામ સુનીલ ગાવસ્કર 30 વર્ષ સુધી ન કરી શક્યા તે હવે અજિંક્ય રહાણે કરશે
અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન
5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી
ઊંડા શ્વાસ (Deep Breathing) થી શરીરને થાય છે આ 5 ચોંકાવનારા ફાયદા

2024માં ફરીથી રાષ્ટ્રપતિનો દાવો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ 2020માં ચૂંટણીને પલટાવવાની યોજનાના આરોપમાં જ્યોર્જિયા જેલમાં આત્મસમર્પણ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ રહેલા મીડોઝે પણ કર્યુ આત્મસમર્પણ

અગાઉ ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રહેલા માર્ક મીડોઝે પણ જ્યોર્જિયા જેલના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર ચૂંટણીમાં છેતરપિંડીનું ષડયંત્ર રચવાનો પણ આરોપ છે.

તે જ સમયે, વોશિંગ્ટનની એક સંઘીય અદાલતે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને પલટાવવાના પ્રયાસના અન્ય એક કેસમાં પણ ટ્રમ્પને આરોપી ગણ્યા. આ કેસમાં પણ તે કોર્ટમાં હાજર થયો હતો.

ટ્રમ્પ સાથે 18 લોકો પર આરોપ

હકીકતમાં, ફુલ્ટન કાઉન્ટીના એટર્ની ફેની વિલિસે પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના 18 સહયોગીઓ પર આરોપ લગાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે આ લોકોએ ચૂંટણીમાં તેમની હારને પલટાવવાનું કાવતરું ઘડ્યું હતું. વિલિસે કહ્યું કે તે જ્યોર્જિયાના એન્ટી-રેકેટિયરિંગ કાયદાનું ઉલ્લંઘન કરે છે. તેણે ટ્રમ્પ સહિત તમામ 19 આરોપીઓ પર RICO કાયદા હેઠળ આરોપ લગાવ્યા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">