AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહ્યું કે, રશિયન સેના ઓડેસા પર બોમ્બમારો કરવાની તૈયારીમાં છે

ક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે, રશિયન દળો યુક્રેનના બ્લેક સીના કિનારે આવેલા ઓડેસા શહેર પર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યા છે.

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહ્યું કે, રશિયન સેના ઓડેસા પર બોમ્બમારો કરવાની તૈયારીમાં છે
President of Ukraine Volodymyr Zelensky
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:11 PM
Share

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ (Ukrainian President Volodymyr Zelenskiy) રવિવારે કહ્યું કે, રશિયન દળો યુક્રેનના બ્લેક સીના કિનારે આવેલા ઓડેસા શહેર પર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે આ યુદ્ધનો 11મો દિવસ છે. રશિયા તરફથી યુક્રેનના વિવિધ શહેરોમાં સતત હુમલા થઈ રહ્યા છે. રાજધાની કિવ, ખાર્કિવ સહિત અન્ય શહેરોમાં રશિયન હુમલા ચાલુ છે. રશિયા યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે.

યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાની નજર

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી સાંસદો સાથે વાત કરતા કહ્યું કે, રશિયાએ યુક્રેનના બે પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. હવે રશિયન સેના ત્રીજા પરમાણુ પ્લાન્ટને કબજે કરવા માટે આગળ વધી રહી છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, હાલમાં યુઝ્નોક્રેઇન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલેવ પ્રદેશથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે જે જોખમમાં છે. આ પ્લાન્ટ ગમે ત્યારે રશિયાના હાથમાં જવાનો ભય છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધને 11 દિવસ થઈ ગયા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહેલા દિવસથી ખોટું બોલી રહ્યા છે: જર્મન રાજદૂત

યુક્રેન કટોકટી પર ભારતમાં જર્મન રાજદૂત વોલ્ટર જે લિન્ડનર (German Envoy to India)એ રવિવારે કહ્યું કે, ભારતની રાજદ્વારી સેવાઓ ઉત્તમ છે. તેઓ જાણે છે કે શું કરવું. તેમણે કહ્યું કે, આ સંકટ માત્ર યુક્રેન અથવા યુરોપિયન યુનિયન વિશે નથી પરંતુ તે વૈશ્વિક વિશ્વ વ્યવસ્થા વિશે છે. આની સામે આપણે સૌએ સાથે મળીને ઊભા રહેવાનું છે. આટલું જ નહીં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહેલા દિવસથી જૂઠું બોલી રહ્યા છે.

યુક્રેનનો દાવો- 11 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા

યુક્રેને દાવો કર્યો હતો કે તેણે યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. આ સાથે મોટી સંખ્યામાં રશિયન હથિયારોનો પણ નાશ કરવામાં આવ્યો છે. નાશ પામેલા હથિયારોમાં 48 હેલિકોપ્ટર, 285 ટેન્ક, 44 સૈન્ય વિમાન, 60 ઈંધણ ટેન્ક, 2 બોટ અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

આ પણ વાંચો: India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">