Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે હંગેરી સ્થિત એમ્બેસીમાંથી ટીમ મોકલી

ભારતીય નાગરિકોને લાવવા ગુરુવારે રવાના થયેલ એર ઈન્ડિયાના વિમાનને રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા તેને પરત દિલ્હી બોલાવવામાં આવ્યું હતું.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે હંગેરી સ્થિત એમ્બેસીમાંથી ટીમ મોકલી
Russia-Ukraine War (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:04 PM

રશિયા (Russia) ના હુમલા બાદ યુક્રેને (Ukraine) પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે (Embassy of India in Hungary) ગુરુવારે કહ્યું કે તેણે સંકટગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian Citizens) ની મદદ માટે એક ટીમ મોકલી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે હંગેરીમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા માટે જોહાની બોર્ડર પોસ્ટ પર મોકલવામાં આવ્યા છે. આ લોકો યુક્રેનમાંથી ભારતના નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરશે. હંગેરિયન સરકાર પણ દૂતાવાસને સંપૂર્ણ મદદ કરી રહી છે. એમ પણ કહ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સ્થળાંતર યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતાં ત્યાંથી ભારતીય નાગરિકોને લાવવા ગુરુવારે રવાના થયેલા એર ઈન્ડિયાના વિમાનને પરત દિલ્હી બોલાવવામાં આવ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ ગુરુવારે સવારે દિલ્હીથી પ્લેન ઉપડ્યા પછી એક NOTM (નોટિસ ટુ એરમેન) જારી કર્યું, જેમાં જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન માટે સંભવિત જોખમને કારણે યુક્રેનની અંદર સિવિલ એરક્રાફ્ટ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વિમાન ઈરાનના એરસ્પેસથી દિલ્હી પરત ફર્યું હતું

અધિકારીઓએ જણાવ્યું કે ત્યારબાદ એર ઈન્ડિયા અને કેન્દ્ર સરકારે પ્લેનને દિલ્હી પરત લાવવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યું કે ત્યારબાદ વિમાન ઈરાનના એરસ્પેસથી દિલ્હી પરત ફર્યું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 1947 પાછી આવી રહી છે કારણ કે કિવએ નોટમ જારી કર્યું છે. વિમાને સવારે 7.30 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી કિવ માટે ઉડાન ભરી હતી. ગુરુવારે લગભગ 1 વાગે વિમાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યું હતું.

દરમિયાન, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન કિવથી સવારે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. STIC ગ્રૂપના ડિરેક્ટર અંજુ વરિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 182 ભારતીય નાગરિકો સવાર હતા અને તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. અઠવાડિયાના વધતા તણાવ પછી, રશિયાએ ગુરુવારે યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેન મુદ્દે પીએમ મોદી થોડીવારમાં યોજી શકે છે ઉચ્ચ સ્તરીય બેઠક, અજીત ડોભાલ પણ રહેશે હાજર

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">