AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: રશિયા 11 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, બ્રિટને કહ્યું- ભારત અને ચીને મોસ્કો પર રાજદ્વારી દબાણ વધારવું જોઈએ

બ્રિટનના (Britain) નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે રવિવારે ભારત અને ચીનને રશિયા પર રાજદ્વારી દબાણ વધારવામાં મદદ કરવા અપીલ કરી છે.

Russia Ukraine War: રશિયા 11 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, બ્રિટને કહ્યું- ભારત અને ચીને મોસ્કો પર રાજદ્વારી દબાણ વધારવું જોઈએ
British Deputy Prime Minister Dominic Raab.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:59 PM
Share

બ્રિટનના (Britain) નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે (Dominic Raab) રવિવારે ભારત અને ચીનને (India and China) રશિયા પર રાજદ્વારી દબાણ વધારવામાં મદદ કરવા અપીલ કરી છે. કારણ કે તેણે યુક્રેન પર તેનું લશ્કરી આક્રમણ ચાલુ રાખ્યું છે. રાબે કહ્યું કે, આપણે રાજદ્વારી દબાણ વધારવાની જરૂર છે. વાસ્તવમાં ભારત અને ચીન બંનેના રશિયા સાથે ગાઢ સંબંધો છે. અત્યાર સુધી તેમણે યુક્રેન પર રશિયાના આક્રમણની ખુલ્લેઆમ નિંદા કરવાનું ટાળ્યું છે. બંને દેશોએ યુક્રેન પર રશિયન આક્રમણ વિરુદ્ધ પાસ કરવામાં આવેલ કોઈપણ ઠરાવને પણ ટાળ્યો છે.

બે દિવસ પહેલા, ભારતે યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહી બાદ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની રચના કરવા પર યુએન માનવ અધિકાર પરિષદમાં મતદાન કરવાનું ટાળ્યું હતું. અગાઉ, ચીન અને સંયુક્ત આરબ અમીરાતની સાથે ભારતે યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરતા યુએનએસસીના ઠરાવ પર મતદાન કરવાથી પોતાને દૂર રાખ્યા હતા.

રાબે યુક્રેન પરના તેના આક્રમણમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની રશિયાની ધમકીને માત્ર કહેવાની વાતો ગણાવી હતી. ન્યૂઝ એજન્સી રોઇટર્સે સ્કાય ન્યૂઝને ટાંકીને કહ્યું કે ડેપ્યુટી પીએમએ કહ્યું, “મને લાગે છે કે આ બયાનબાઝી અને કટ્ટરતા છે. રાબે કહ્યું કે, જ્યાં સુધી ખોટી માહિતી અને પ્રચાર છે ત્યાં સુધી પુતિનનો ટ્રેક રેકોર્ડ છે. તે વાસ્તવિક મુદ્દાઓથી વિચલિત કરે છે. બ્રિટિશ નેતાએ પુતિનના નિવેદનને પણ નકારી કાઢ્યું જેમાં પશ્ચિમી પ્રતિબંધોને યુદ્ધની ઘોષણા સાથે સરખાવ્યા હતા.

રશિયા અને કિવ વચ્ચેની લડાઈ રવિવારે 11માં દિવસમાં પ્રવેશી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે 11,000 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બચવા માંગતા લોકો પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને અન્ય દેશોમાં આશરો લઈ રહ્યા છે. દિવસના અંત સુધીમાં આવા નાગરિકોની સંખ્યા 15 લાખ સુધી પહોંચવાની આશા છે.

યુક્રેનનો દાવો- 11 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા

યુક્રેને દાવો કર્યો હતો કે તેણે યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. આ સાથે મોટી સંખ્યામાં રશિયન હથિયારોનો પણ નાશ કરવામાં આવ્યો છે. નાશ પામેલા હથિયારોમાં 48 હેલિકોપ્ટર, 285 ટેન્ક, 44 સૈન્ય વિમાન, 60 ઈંધણ ટેન્ક, 2 બોટ અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

આ પણ વાંચો: India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">