Russia Ukraine War: સમાધાનને લઈને રશિયાનો સૂર બદલાયો, યુક્રેનના વરિષ્ઠ અધિકારીનો મોટો દાવો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. પરંતુ હવે રશિયાએ યુદ્ધવિરામને લઈને પોતાનું વલણ નરમ કર્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના એક અધિકારીએ કહ્યું કે રશિયાએ યુક્રેનની શરણાગતિની માગ કરવાનું પણ બંધ કરી દીધું છે.

Russia Ukraine War: સમાધાનને લઈને રશિયાનો સૂર બદલાયો, યુક્રેનના વરિષ્ઠ અધિકારીનો મોટો દાવો
Russia Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:48 AM

Russia Ukraine War:  યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના (President Volodymyr Zelenskyy) વરિષ્ઠ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ઇહોર ઝોવકોવાએ જણાવ્યું હતું કે, રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેની વાટાઘાટો “વધુ રચનાત્મક” બની છે.વધુમાં તેમણે કહ્યું કે રશિયાએ પોતાનો સૂર બદલ્યો છે અને યુક્રેનને આત્મસમર્પણ કરવાની માગ કરવાનું બંધ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે,મંત્રણાની શરૂઆતમાં રશિયા (Russia) શરણાગતિ પર ભાર મૂકતું હતુ.

રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેનો વીડિયો કોલ આ મહિને બેલારુસમાં થયેલી ત્રણ રાઉન્ડની વાટાઘાટ બાદ થયો હતો. ઝોવકોવાએ કહ્યું કે યુક્રેનિયન પ્રતિનિધિઓને વાટાઘાટો બાદ ઉકેલની થોડી આશા જન્મી છે.વધુમાં તેમણે કહ્યું કે યુદ્ધ વિરામ માટે ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) વચ્ચે મુલાકાત થવી જરૂરી છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કેનેડાને મદદ માટે અપીલ કરી

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમના એક ભાષણમાં કેનેડાને મદદ માટે પણઅપીલ કરી છે. સાથે જ પ્રમુખ ઝેલેન્સકીએ કેનેડિયન સંસદ અને સરકારને રશિયા પર વધુ આર્થિક અને લશ્કરી દબાણ લાવવા વિનંતી કરી. ઝેલેન્સકીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ધારાસભ્યોને યુક્રેન પર નો-ફ્લાય ઝોન બનાવવામાં મદદ કરવા પણ ભાર મુક્યો. તેણે કહ્યું, “જસ્ટિન, શું તમે એવી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે જ્યારે તમને અથવા તમારા બાળકોને ગંભીર વિસ્ફોટો, એરપોર્ટ બોમ્બ ધડાકા, ઓટાવા એરપોર્ટ બોમ્બ ધડાકાના અવાજો સાંભળવા પડે.ત્યારે યુક્રેનની પરિસ્થિતિ શું હશે..?

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

કેનેડિયન સાંસદોએ જેલેન્સકીને શુભેચ્છા પાઠવી

કેનેડિયન સાંસદોઓએ તેમના સંબોધન પહેલાં ઊભા રહીને તેમનું સ્વાગત કર્યું. ઝેલેન્સકીએ કહ્યું, “શું તમે એવી પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે જ્યારે ટોરોન્ટોના પ્રખ્યાત સીએન ટાવર પર રશિયન બોમ્બ ફેંકવામાં આવે. પણ આ અમારી વાસ્તવિકતા છે.સાથે તેમણે માનવતાવાદી અને લશ્કરી સમર્થન માટે કેનેડાનો આભાર માન્યો અને દેશને એક મજબૂત સાથી ગણાવ્યો.

યુક્રેનના 97 બાળકો યુદ્ધમાં માર્યા ગયા

રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કેનેડાની સંસદમાં સંબોધન દરમિયાન કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી 97 બાળકો માર્યા ગયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)નું કહેવું છે કે ગયા મહિને રશિયન આક્રમણ બાદ 30 લાખથી વધુ લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ NATO પર પણ કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે રશિયાએ NATO ને લાચાર બનાવી દીધું છે. હું જાણું છું કે NATO નો રસ્તો યુક્રેન માટે બંધ છે. જો કે, કેનેડાએ હાલ યુક્રેનને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

આ પણ વાંચો : હથિયારનો મોટો આયાતકાર દેશ છે ભારત, રશિયાથી શસ્ત્રોની આયાત 23 ટકા ઘટી, ફ્રાન્સથી હથિયારોની આયાત 10 ગણી વધી

Latest News Updates

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
g clip-path="url(#clip0_868_265)">