AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 5 લોકોના મોત 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો Video

રશિયાએ પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેર પર મિસાઈલ હુમલો કર્યો. જેમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે, 31 લોકો ઘાયલ થયા છે.

રશિયાનો યુક્રેન પર મિસાઈલ હુમલો, 5 લોકોના મોત 31 ઘાયલ, ઝેલેન્સકીએ શેર કર્યો Video
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:14 AM
Share

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલ યુદ્ધનો અંત આવે તેમ લાગતું નથી. તેમની વચ્ચે શાંતિ માટે તમામ દેશો પ્રયાસો પણ કરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે રશિયાએ ફરી એકવાર પૂર્વ યુક્રેનના પોકરોવસ્ક શહેર પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે પાંચ લોકોના મોત થયા હતા.  31 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાં શાંતિ માટે સાઉદીમાં મંથન, રશિયાને પડતું મુકાયું, જાણો ભારતે બેઠકમાં શું કહ્યું ?

યુક્રેને રશિયાના આ હુમલાની નિંદા કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ રહેણાંક મકાન પર હુમલો કર્યો હતો. આ અંગે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. હાલ હુમલા બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ટ્વિટર પર પોતાની પોસ્ટમાં ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે.

રશિયાનો આતંક બંધ થવો જોઈએ: ઝેલેન્સકી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આપણે કોઈપણ કિંમતે રશિયાના આતંકને રોકવો પડશે. ઝેલેન્સકીએ દુનિયાભરના દેશોને અપીલ કરી હતી કે જે કોઈ પણ યુક્રેનને રશિયા વિરુદ્ધ મદદ કરશે તે આતંકવાદીઓને હરાવી દેશે. કારણ કે રશિયાએ આ યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ઠેરવવું પડશે.

હુમલામાં 31 લોકો ઘાયલ થયા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેન્કોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અન્ય એક હુમલામાં, ડોનેત્સ્ક વિસ્તારના એક અધિકારીનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 31 લોકો ઘાયલ થયા છે. જેમાં 19 પોલીસકર્મી, પાંચ બચાવકર્તા અને એક બાળકનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">