AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાએ તાઈવાનને ચીનનો હિસ્સો માન્યો તો આઝાદીનો કર્યો વિરોધ, પુતિને શી જિનપિંગના સૂરમાં સુર મિલાવ્યો

રશિયાએ તાઈવાનને ચીનના ભાગ તરીકે માન્યતા આપી છે તો બીજી તરફ સ્પષ્ટપણે કોઈપણ પ્રકારની સ્વતંત્રતાનો વિરોધ કર્યો હતો. વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ પણ બેઇજિંગમાં મળ્યા છે.

રશિયાએ તાઈવાનને ચીનનો હિસ્સો માન્યો તો આઝાદીનો કર્યો વિરોધ, પુતિને શી જિનપિંગના સૂરમાં સુર મિલાવ્યો
vladimir putin- xi jinping ( PS : PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 12:58 PM
Share

રશિયાએ (Russia) એક મોટું પગલું ભરતા આખી દુનિયાને હેરાન કરી દીધા છે. રશિયાએ તાઈવાનને (Taiwan) ચીનનો અવિભાજ્ય હિસ્સો માને છે. તેની કોઈ પણ આઝાદીનો વિરોધ કર્યો હતો. આ એક એવો નિર્ણય છે જેની અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશોએ અપેક્ષા નહોતી કરી. તાઈવાનને ચીનનો હિસ્સો ગણવાના રશિયાના (Russia China Relations) પગલાની માહિતી શુક્રવારે રશિયા-ચીન સંબંધોના સંયુક્ત ઘોષણાપત્રમાં સામે આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રશિયન પક્ષે વન-ચાઈના સિદ્ધાંત માટે તેના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે.” તાઈવાન ચીનનો અવિભાજ્ય હિસ્સો છે અને કોઈપણ રીતે તે તાઈવાનની સ્વતંત્રતાનો વિરોધ કરે છે.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયા અને ચીન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા તેમજ તેમના હિતોના રક્ષણ માટે તેમના મજબૂત પરસ્પર સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. જેમાં સ્થાનિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપનો વિરોધ પણ સામેલ છે. આ લાંબા અને વ્યાપક સંયુક્ત નિવેદનમાં ચીને હોંગકોંગમાં થયેલા રમખાણો અને તાઈવાને પોતાનો અવાજ ઉઠાવવા જેવા મુદ્દાઓ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. જ્યારે રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા યુક્રેનમાં પણ આ જ રીતે અસ્થિરતા પેદા કરી રહ્યું છે.

બહારના દળોને ચેતવણી આપી

ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિની ઓફિસ) દ્વારા 5,300 શબ્દોનું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહ્યું હતું કે ‘રશિયા અને ચીન તેમના નજીકના પ્રદેશોમાં સુરક્ષા અને સ્થિરતાને ખલેલ પહોંચાડવાના બાહ્ય દળોના પ્રયાસો સામે ઉભા છે.’ આ સાથે જ ચીને કહ્યું હતું કે વિશ્વને સોવિયેત સંઘની જેમ બે શક્તિશાળી બ્લોક તરીકે વિભાજિત ન કરવું જોઈએ અને અમેરિકા થતું હતું. જ્યારે તેઓ વિશ્વની બે સૌથી મોટી મહાસત્તા કહેવાતા હતા.

બેઈજિંગમાં મળ્યા બંને નેતા

આ નિવેદન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન (Russian President Vladimir Putin)ને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) સાથે બેઈજિંગમાં મુલાકાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ અહીં બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા આવ્યા છે. રશિયન રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી.

તેને અભૂતપૂર્વ અને સન્માનજનક સહયોગનું ઉદાહરણ ગણાવ્યું. યુક્રેન મુદ્દે પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે વ્લાદીમીર પુતિન ચીનની મુલાકાતે આવ્યા છે. લગભગ બે વર્ષ પછી તેમની પ્રથમ સામ-સામે બેઠકમાં પુતિન અને શી એકબીજા સાથે સુમેળમાં જોવા મળ્યા હતા. બીજી તરફ શીએ કોરોના વાઈરસને કારણે જાન્યુઆરી 2020થી દેશની બહાર પ્રવાસ કર્યો નથી.

આ પણ વાંચો : Earthquake :કાશ્મીર અને નોઈડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઈ જાન-માલનું નુકસાન નહિ

આ પણ વાંચો : Uttarakhand Election: રાહુલ ગાંધી આજે ઉત્તરાખંડ પ્રવાસ પર, ઉધમ સિંહ નગર અને હરિદ્વારમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">