London news : ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઋષિ સુનકે લીધી યહૂદી શાળાની મુલાકાત, યહૂદીઓને આપી સલામતીની ખાતરી

બ્રિટિશ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, આજે હું યહૂદી સમુદાય સાથે એકતા દર્શાવવા માટે લંડનમાં એક યહૂદી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને મળ્યો. બ્રિટનમાં યહૂદી લોકોને સુરક્ષિત રાખવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છું. યહૂદીઓના વિરોધીઓને સાંખી લેવામાં આવશે નહીં. આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર આજે જ નહીં, પરંતુ હંમેશા માટે હું યહૂદી સમુદાય સાથે છું.

London news : ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઋષિ સુનકે લીધી યહૂદી શાળાની મુલાકાત, યહૂદીઓને આપી સલામતીની ખાતરી
London
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:32 PM

London : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે ઇઝરાયેલ-ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક યહૂદી શાળાની મુલાકાત લીધી અને દેશના યહૂદીઓને તેમની સામેના હુમલાઓથી બચાવવા માટે સલામતીની ખાતરી આપી

આ પણ વાંચો Chicago News : Israel Hamas war ને લઈ મકાનમાલિકે ભાડુઆતની ચાકુ મારીને કરી હત્યા, જો બાઇડને આપી પ્રતિક્રિયા

આ દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે બ્રિટને ભૂમધ્ય ક્ષેત્રમાં જાસૂસી વિમાનો તૈનાત કર્યા છે તેથી યુદ્ધ પર નજર રાખી શકાય અને હથિયારોના શિપમેન્ટ આતંકવાદીઓના હાથમાં ન જાય. વધુમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં જે યહૂદી સમુદાય છે તે પોતાના વિસ્તારમાં સુરક્ષિત અનુભવી શકે એ માટે હું કટિબદ્ધ છું, અહીંયા યહૂદી વિરોધીઓને કોઈ સ્થાન નથી અને આવા લોકોને રોકવા માટે અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

તેમણે કહ્યું કે માત્ર આજે જ નહીં, પરંતુ હંમેશા માટે હું યહૂદી સમુદાય સાથે છું. તમારી જેમ હું એક અલગ ભૂમિમાંથી આવું છું અને જ્યારે વિવિધતાને માન આપવામાં આવે છે, ત્યારે આપણો સમાજ મજબૂત બને છે. એવા કેટલાક લોકો છે જે નફરત અને ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું તે વિવિધતાને બચાવવા માટે હંમેશા સખત પ્રયાસ કરીશ. તેમણે શાળામાં હાજર રહેલા લોકોના કેટલાક પ્રશ્નોના જવાબ આપતા પહેલા માધ્યમિક શાળામાં એક એસેમ્બલીમાં હાજરી આપી હતી.

બ્રિટિશ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, આજે હું યહૂદી સમુદાય સાથે એકતા દર્શાવવા માટે લંડનમાં એક યહૂદી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને મળ્યો. બ્રિટનમાં યહૂદી લોકોને સુરક્ષિત રાખવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છું. યહૂદીઓના વિરોધીતઓને સાંખી લેવામાં આવશે નહીં.

તેમણે ખાતરી આપી કે સરકારે પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે પોલીસને તમામ સત્તાઓ અને સૂચના આપી છે. આવા વિરોધ પ્રદર્શન કરતા 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ પર ગુનાહિત આરોપ લગાવવામાં આવ્યો છે.

સુનાકે એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપવું ગેરકાયદેસર છે અને આમ કરવાથી 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પોલીસ દળનો આભાર માનતા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને હમાસ અથવા યહૂદી વિરોધીઓને ટેકો આપતા લોકોને ફરીથી કડક ચેતવણી આપી છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">