AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ

ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી.

ઈસ્લામાબાદના મહોલ્લામાં ફરતા હોઈએ તેવુ ના લાગવું જોઈએ, ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધનો પ્રસ્તાવ
| Updated on: Jun 26, 2026 | 6:58 PM
Share

ડેનમાર્ક સરકારના મંત્રી મોર્ટન બોડસ્કોવે (Morten Bodskowes announcement)જણાવ્યું હતું કે, “ડેનમાર્કમાં અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવુ ના લાગવું જોઈએ કે તેમ ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં છો.”

ડેનમાર્ક સરકારે લાઉડસ્પીકર દ્વારા અઝાન કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રી મોર્ટન બોડસ્કોવે ટિપ્પણી કરી હતી કે ડેનમાર્ક દેશના કેટલાક વિસ્તારો “ઇસ્લામાબાદના ઉપનગરો” જેવા લાગે છે.

ધ ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, સોશિયલ ડેમોક્રેટ મંત્રીએ ડેનિશ સમાચાર એજન્સી રિટ્ઝાઉને કહ્યું હતું કે, “ડેનમાર્કની છત પરથી અઝાન નો અવાજ સંભળાવો જોઈએ નહીં.” તેમણે ઉમેર્યું હતું કે, “ડેનમાર્કમાં આવી અઝાન માટે કોઈ સ્થાન નથી, અને જ્યારે તમે ડેનમાર્કમાં ફરો છો, ત્યારે તમને એવી છાપ ના લાગવી જોઈએ કે તમે ઇસ્લામાબાદના કોઈ મહોલ્લામાં ફરી રહ્યાં છો.”

બોડસ્કોવનો પ્રસ્તાવ ડેનમાર્કના મંત્રી દ્વારા આ પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે કાનૂની માળખું સ્થાપિત કરવાનો ત્રીજો પ્રયાસ છે. અગાઉ 2020 અને 2025 માં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ડેનમાર્કના કેટલાક ભાગોમાં જાહેરમાં નમાઝ પઢવા માટે પહેલાથી જ અઝાન પર પ્રતિબંધ છે. કોપનહેગનમાં, સ્થાનિક અવાજના કડક નિયમોને કારણે મસ્જિદો લાઉડસ્પીકર દ્વારા અઝાન પઢી શકતા નથી. મંત્રીએ જણાવ્યું હતું કે તપાસમાં એ જોવામાં આવશે કે શું ધાર્મિક સ્વતંત્રતા અંગે ડેનમાર્કના બંધારણીય રક્ષણને જાળવી રાખીને રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લાગુ કરી શકાય છે કે નહીં.

અઝાન પર પ્રતિબંધ મૂકવાનો કોઈપણ પ્રયાસ કાનૂની પડકારોનો સામનો કરી શકે છે. ડેનમાર્ક બંધારણ જાહેર પૂજાના અધિકારનું રક્ષણ કરે છે, જોકે અલોકતાંત્રિક ઉપદેશો અને પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપવા અંગે પહેલાથી જ પ્રતિબંધો અસ્તિત્વમાં છે.

બ્રિટન અને જર્મનીએ સ્થાનિક રહેવાસીઓને ખલેલ ના પહોંચે તે માટે મસ્જિદો પરથી અઝાન ક્યારે પઢી શકાય અને તેનો અવાજ કેટલો હોવો જોઈએ તે પહેલેથી જ પ્રતિબંધિત છે. ડેનમાર્કમાં લગભગ 6 મિલિયનની કુલ વસ્તીમાંથી આશરે 2,70,000 મુસ્લિમો રહે છે અને અંદાજે 100 જેટલી મસ્જિદો આવેલી છે.

Air India Flight 182 : 42 વર્ષ બાદ કેનેડાની કબૂલાત, એર ઈન્ડિયા પ્લેન બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો હતો હાથ

Follow Us
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">