Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયન સેનાના તાબડતોડ હુમલાથી કિવ સહિત સમગ્ર દેશમાં દહેશત, રશિયા અને યુક્રેને કહ્યું- વિનાશકારી યુદ્ધને રોકવા માટે વાતચીત જરૂરી

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર, ખારકીવની મધ્યમાં સ્થિત મુખ્ય ચોક અને કિવના મુખ્ય ટીવી ટાવર પર બોમ્બ વિસ્ફોટને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આતંક ગણાવ્યો અને કહ્યું કે, તેને કોઈ ભૂલી શકશે નહીં.

રશિયન સેનાના તાબડતોડ હુમલાથી કિવ સહિત સમગ્ર દેશમાં દહેશત, રશિયા અને યુક્રેને કહ્યું- વિનાશકારી યુદ્ધને રોકવા માટે વાતચીત જરૂરી
Russia Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:42 PM

રશિયન સેનાએ (Russian Army) બુધવારે યુક્રેનના (Ukraine) બીજા સૌથી મોટા શહેર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આ દરમિયાન બંને પક્ષોએ કહ્યું કે તેઓ યુરોપમાં વિનાશક યુદ્ધને રોકવાના હેતુથી મંત્રણા ફરી શરૂ કરવા તૈયાર છે. ગીચ વસ્તીવાળા શહેરોમાં હુમલા વધતા પહેલા સોમવારે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનો પ્રારંભિક રાઉન્ડ યોજાયો હતો, જેમાં ફરી મળવાનું વચન જ આપી શકાયુ હતું. હજુ એ સ્પષ્ટ નથી કે નવી વાતચીત ક્યારે થશે અથવા તેનું પરિણામ શું આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું હતું કે રશિયાએ ફરી એકવાર વાતચીત પહેલા બોમ્બમારો રોકવો જોઈએ.

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવની મધ્યમાં સ્થિત મુખ્ય ચોક અને કિવના મુખ્ય ટીવી ટાવર પર બોમ્બ વિસ્ફોટને યુક્રેનના રાષ્ટ્રપતિ વાલદિમીર ઝેલેન્સકીએ આતંક ગણાવ્યો અને કહ્યું કે તેને કોઈ ભૂલી શકશે નહીં. આને કોઈ માફ નહીં કરે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે રશિયન નેતા વ્લાદિમીર પુતિનને હુમલાની કિંમત ચૂકવવી પડશે.

બુધવારે યુક્રેનમાં બોમ્બ હુમલા ચાલુ રહ્યા હતા અને યુક્રેનની UNIAN સમાચાર એજન્સીએ ઉત્તરી શહેર ચેર્નિહિવના આરોગ્ય વહીવટી વડા સેરહી પિવોવારને ટાંકીને જણાવ્યું હતું કે ત્યાંની એક હોસ્પિટલમાં બે ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. પિવોવારે જણાવ્યું હતું કે હોસ્પિટલની મુખ્ય ઈમારતને નુકસાન થયું છે અને અધિકારીઓ મૃતકોની સંખ્યા જાણવા માટે કામ કરી રહ્યા છે. હાલમાં અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

યુક્રેનની રાજ્ય કટોકટી સેવાએ જણાવ્યું હતું કે ખારકીવમાં બુધવારે પણ હુમલા ચાલુ રહ્યા હતા, જેમાં ચાર માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એક વિસ્ફોટમાં પાંચ માળની પોલીસ કાર્યાલયની છત ઉડી ગઈ. એક દિવસ પહેલા ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. રશિયાએ રાજધાની કિવમાં એક ટીવી ટાવર પર પણ હુમલો કર્યો હતો. લગભગ 8,74,000 લોકોએ યુક્રેન છોડી દીધું છે અને યુએન શરણાર્થી એજન્સીએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં આ સંખ્યા 10 લાખને વટાવી શકે છે. ઘણા લોકોએ ભૂગર્ભ બંકરોમાં આશરો લીધો છે.

યુક્રેનમાં સાત દિવસથી યુદ્ધ ચાલુ છે, પરંતુ માર્યા ગયેલા લોકોની સંખ્યા સ્પષ્ટ નહીં

યુક્રેનમાં સાત દિવસના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. રશિયા કે યુક્રેને માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી. યુક્રેનની રાજ્ય કટોકટી સેવા અનુસાર 2,000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જો કે આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. યુએન માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે 136 નાગરિકોનું મોત નોંધ્યું છે, પરંતુ વાસ્તવિક મૃત્યુઆંક ઘણી વધારે હોવાનું કહેવાય છે. યુક્રેનની રાજ્ય કટોકટી સેવાએ જણાવ્યું હતું કે ટીવી ટાવર પર થયેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા છે.

રશિયાનો હુમલો માનવતાથી પર છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વાલાદિમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડા એન્ડ્રે યર્માકે ફેસબુક પર જણાવ્યું હતું કે (બાબી) યાર સ્મારક સ્થિત છે તે સ્થળ પર એક શક્તિશાળી મિસાઈલ હુમલો કરવામાં આવી રહ્યો છે. ઝેલેન્સકીએ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે, આ માનવતાથી પર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ, જે યહૂદી સમુદાયના છે, તેમણે વિશ્વભરના યહૂદીઓને આ હુમલાઓનો વિરોધ કરવા કહ્યું.

આ દરમિયાન, રશિયન સંસદના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે બુધવારે જણાવ્યું હતું કે એક પ્રતિનિધિમંડળ આજે સાંજ સુધીમાં યુક્રેનના અધિકારીઓને મળવા માટે તૈયાર હશે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ પણ કહ્યું હતું કે તેમનો દેશ તૈયાર છે, પરંતુ રશિયાની માંગણીઓ બદલાઈ નથી અને તેઓ કોઈ અલ્ટીમેટમ સ્વીકારશે નહીં. બંને પક્ષોએ એ નથી કહ્યું કે વાતચીત ક્યાં થઈ શકે છે.

આ પણ વાંચો : ભારતપેએ અશનીર ગ્રોવરને તમામ પદ પરથી હટાવ્યા, અમુક હિસ્સેદારી પરત લેવાની પણ તૈયારી

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">