AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: ખુરશી મળતાની સાથે જ લઘુમતીઓને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શા માટે વહેંચી રહ્યા છે 20-20 લાખ રૂપિયા?

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ 20 થી વધુ ચર્ચ અને ઈસાઈઓના ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનના પીએમ કાકરે સોમવારે પંજાબના હિંસા પ્રભાવિત શહેર જરાંવાલાની મુલાકાત લીધી હતી.

Pakistan News: ખુરશી મળતાની સાથે જ લઘુમતીઓને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શા માટે વહેંચી રહ્યા છે 20-20 લાખ રૂપિયા?
Anwar ul Haq Kakar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 3:12 PM
Share

શાહબાઝ શરીફની વિદાય બાદ અનવર ઉલ હકને પાકિસ્તાનના (Pakistan) નવા રખેવાળ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તે લઘુમતીઓ પ્રત્યે થોડા વધાર મહેરબાન લાગે છે. સોમવારે તેણે ખ્રિસ્તી લઘુમતી પરિવારોને 20-20 લાખ પાકિસ્તાની રૂપિયાની વહેચણી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમની સરકાર લઘુમતીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

100 ખ્રિસ્તી પરિવારોને 20 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ 20 થી વધુ ચર્ચ અને ઈસાઈઓના ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનના કેરટેકર પીએમ કાકરે સોમવારે પંજાબના હિંસા પ્રભાવિત શહેર જરાનવાલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે લગભગ 100 ખ્રિસ્તી પરિવારોને 20 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપ્યું હતું.

હિંસા પર પીએમએ શું કહ્યું?

આ દરમિયાન પીએમએ ટોળા દ્વારા નાશ પામેલા ચર્ચ અને અન્ય માળખાઓના સમારકામ અને પુનર્વસનના કામોની સમીક્ષા કરી હતી. આ સાથે, તેમણે દેશના તમામ લઘુમતી સમુદાયોને ખાતરી આપી કે, પાકિસ્તાન સરકાર તેમની સુરક્ષા કરશે અને તે તેના માટે પ્રતિબદ્ધ છે. પીએમે કહ્યું કે, જો કોઈ લઘુમતીઓને નુકસાન પહોંચાડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિંસામાં 200 ઘર બરબાદ થયા

જરાંવાલામાં બુધવારે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 200 ઘરો ધરાશાયી થયા હતા. 20 ચર્ચ અને ખ્રિસ્તીઓના 86 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. આ કેસમાં 2 ખ્રિસ્તીઓ સહિત 145 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જરાંવાલા હિંસા બાદ પંજાબના મુખ્યમંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. તોડફોડ, આગચંપી ઉપરાંત કિંમતી સામાનની લૂંટ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dubai News: 31 ઓગસ્ટની રાત્રે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે

પાકિસ્તાનમાં ઈશનિંદા એક ગંભીર મુદ્દો

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈસાઈ અને હિંદુઓ સહિત લઘુમતીઓ પર ઘણી વખત ઈશનિંદાનો આરોપ લાગેલો છે. ઇશનિંદા પાકિસ્તાનમાં એક સંવેદનશીલ મુદ્દો છે. સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ (CSJ) અનુસાર, આ વર્ષે 16 ઓગસ્ટ સુધીમાં લગભગ 198 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાંથી 85% મુસ્લિમ, 8% અહમદી અને 4.4% ખ્રિસ્તી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">