AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું

અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું
Pakistan News
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:47 PM
Share

Pakistan News : પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી (Pakistan) ભારત પરત ફરશે. આ દાવો અંજુના પતિ નસરુલ્લાએ કર્યો છે. તેણે કહ્યું કે અંજુ આવતા મહિને અંજુ ભારત જશે. તે માનસિક રીતે ઠીક ન હોવાને કારણે તે પરેશાન છે અને તેના બે બાળકોને બહુ જ મિસ કરી રહી છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. અંજુની નવી ઓળખ ફાતિમાના રૂપમાં છે. તેણે 25 જુલાઈએ તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નસરુલ્લાનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં છે. બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.

આ પણ વાંચો  Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

મીડિયા રિપોર્ટ અનુસાર, નસરુલ્લાએ કહ્યું કે છે કે ફાતિમા (અંજુ) આવતા મહિને ભારત પરત ફરી રહી છે. નસરુલ્લાએ કહ્યું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે અને તેમની પાસે જવા માંગે છે. તમને જણાવી દઈએ કે અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

નસરુલ્લાએ કહ્યું કે તેમાં થોડો સમય લાગશે અને તેથી અંજુ આવતા મહિને ભારત જશે. જો નસરુલ્લાને વિઝા મળશે તો તે પણ ભારત આવશે. અંજુ અને નસરુલ્લા ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમના લગ્ન પછી પહેલીવાર પેશાવર ગયા હતા. તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરો જોયા હતા. અંજુએ કહ્યું કે મેં કેટલાક પશ્તો શબ્દો શીખ્યા છે. પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી પ્રખ્યાત થઈ જઈશ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">