AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું

અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું
Pakistan News
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:47 PM
Share

Pakistan News : પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી (Pakistan) ભારત પરત ફરશે. આ દાવો અંજુના પતિ નસરુલ્લાએ કર્યો છે. તેણે કહ્યું કે અંજુ આવતા મહિને અંજુ ભારત જશે. તે માનસિક રીતે ઠીક ન હોવાને કારણે તે પરેશાન છે અને તેના બે બાળકોને બહુ જ મિસ કરી રહી છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. અંજુની નવી ઓળખ ફાતિમાના રૂપમાં છે. તેણે 25 જુલાઈએ તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નસરુલ્લાનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં છે. બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.

આ પણ વાંચો  Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

મીડિયા રિપોર્ટ અનુસાર, નસરુલ્લાએ કહ્યું કે છે કે ફાતિમા (અંજુ) આવતા મહિને ભારત પરત ફરી રહી છે. નસરુલ્લાએ કહ્યું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે અને તેમની પાસે જવા માંગે છે. તમને જણાવી દઈએ કે અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

નસરુલ્લાએ કહ્યું કે તેમાં થોડો સમય લાગશે અને તેથી અંજુ આવતા મહિને ભારત જશે. જો નસરુલ્લાને વિઝા મળશે તો તે પણ ભારત આવશે. અંજુ અને નસરુલ્લા ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમના લગ્ન પછી પહેલીવાર પેશાવર ગયા હતા. તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરો જોયા હતા. અંજુએ કહ્યું કે મેં કેટલાક પશ્તો શબ્દો શીખ્યા છે. પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી પ્રખ્યાત થઈ જઈશ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">