AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓનું જીવન બન્યું નર્ક, પાક સરકારની જાહેરાત બાદ મુશ્કેલીમાં થયો વધારો

થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબરના અંત સુધીમાં અંદાજે 17 લાખ જેટલા ગેરકાયદેસર રીતે રહેતા અફઘાની શરણાર્થીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે. પાક સરકારે કરેલી આ જાહેરાત બાદ અફઘાન શરણાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

Pakistan News: પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓનું જીવન બન્યું નર્ક, પાક સરકારની જાહેરાત બાદ મુશ્કેલીમાં થયો વધારો
Pakistan News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:10 PM
Share

પાકિસ્તાનના (Pakistan) સૌથી મોટા શહેર કરાચીમાં (Karachi) વસવાટ કરતા અફઘાનિસ્તાનના (Afghanistan) અનેક શરણાર્થીઓ અને ગેરકાયદેસર રહેતા લોકો હાલમાં ભય સાથે જીવવા માટે મજબૂર બન્યા છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબરના અંત સુધીમાં અંદાજે 17 લાખ જેટલા ગેરકાયદેસર રીતે રહેતા અફઘાની શરણાર્થીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે. પાક સરકારે કરેલી આ જાહેરાત બાદ અફઘાન શરણાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

કરાચીમાં આવેલી હિજરા કોલોની અને અફઘાન બસ્તીમાં રહેતા મોટાભાગના અફઘાન પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે પાકિસ્તાન સરકારની જાહેરાત બાદથી જીવન નર્ક બન્યું છે. આ વિસ્તારોમાં રહેતા અફઘાન શરણાર્થીઓનું કહેવું છે કે, પોલીસે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાને કોઈ ડોક્યુમેન્ટ વગર ગેરકાયદે રહેતા અફઘાનિસ્તાનો માટે સ્વેચ્છાએ દેશ છોડવા માટે 1 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.

પોલીસ કરાચીમાં શરણાર્થીઓને બનાવી રહી છે નિશાન

સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આવા લોકોની ધરપકડ કરવામાં આવશે. અફઘાન વસાહતના સમુદાયના વડા હાજી અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, અમારામાંથી જેમની પાસે કાનૂની શરણાર્થી દરજ્જો અથવા તો કાર્ડ છે, તેવા લોકોને પણ પોલીસ બક્ષી રહી નથી. પોલીસ સમગ્ર કરાચીમાં અમારા લોકોને નિશાન બનાવી અને પરેશાન કરી રહી છે.

આ પણ વાંચો : Ankit Avasthi Video: Pakistan ના ન્યુક્લિયર બેઝ પાસે બ્લાસ્ટના સમાચાર! જો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ફૂટે તો શું થાય?

પાકિસ્તાનમાં 1.3 મિલિયન અફઘાન શરણાર્થીઓ

એક અંદાજ મુજબ, કરાચીમાં લગભગ 3 લાખ અફઘાનીઓ રહે છે, જેમાંથી ઘણા તાલિબાન શાસન દરમિયાન અફઘાનિસ્તાનથી પાકિસ્તાન આવ્યા હતા. UN દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મૂજબ લગભગ 1.3 મિલિયન અફઘાન પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ શરણાર્થીઓ છે. આ ઉપરાંત અન્ય 880,000 લોકો પાસે પાકિસ્તાનમાં રહેવા માટે કાનૂની દરજ્જો છે. અફઘાન સમુદાયના બિઝનેસમેન હાજી રહીમે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ધરપકડ થવાના ડરથી યુવાનો ઘરમાં જ રહે છે અને કામ કરવા માટે બહાર જઈ રહ્યા નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">