પાકિસ્તાને વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા
પુલવામા આતંકવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચે નિર્માણ થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને સદ્ભાવનાના સંકેતરૂપે આજે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કર્યા હતા. એક મહિનામાં ચાર તબક્કામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાની પાકિસ્તાને કરેલી જાહેરાતના બીજા બૅચનો આ હિસ્સો છે. પાકિસ્તાને ૭ એપ્રિલે પ્રથમ તબક્કામાં ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. Web Stories View more 1 […]
પુલવામા આતંકવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચે નિર્માણ થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને સદ્ભાવનાના સંકેતરૂપે આજે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કર્યા હતા.
એક મહિનામાં ચાર તબક્કામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાની પાકિસ્તાને કરેલી જાહેરાતના બીજા બૅચનો આ હિસ્સો છે. પાકિસ્તાને ૭ એપ્રિલે પ્રથમ તબક્કામાં ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.
સદ્ભાવનાના સંકેતરૂપે કરાચી સ્થિત માલિર જેલમાંથી વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
મુક્ત કરવામાં આવેલા માછીમારોને ટ્રેન મારફતે લાહોર લઈ જવામાં આવ્યા હતાં અને આવતીકાલે તેમને વાઘા સરહદે ભારતીય સત્તાધિકારીઓને સોંપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. જુદી જુદી કાર્યવાહી દરમિયાન આ માછીમારોની પાકિસ્તાનના જળવિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
22 એપ્રિલે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કરવામાં આવશે અને ૨૯ એપ્રિલે પંચાવન માછીમાર અને પાંચ ભારતીય કેદીને મુક્ત કરી આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]