AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો

ઈમરાનખાને કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જોખમમાં છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ડરેલા નથી અને મુક્ત અને લોકશાહી પાકિસ્તાન માટે તેમની લડત ચાલુ રાખશે.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો
Pakistan PM Imran khan (PC-PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:22 AM
Share

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) શુક્રવારે કહ્યું હતું કે સેનાએ તેમની સામે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ત્રણ વિકલ્પો આપ્યા છે – અવિશ્વાસના મતનો સામનો કરો, સમય પહેલા ચૂંટણી કરો અથવા વડાપ્રધાન તરીકે રાજીનામું આપો. ઈમરાનખાને આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું વિપક્ષ, સરકાર અથવા અન્ય કોઈ પક્ષે વહેલી ચૂંટણી કરાવવા અથવા વિકલ્પ તરીકે રાજીનામું આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમની સામે ત્રણ વિકલ્પ મૂકવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, “ચૂંટણી શ્રેષ્ઠ વિકલ્પ છે, હું રાજીનામું આપવાનું વિચારી પણ શકતો નથી અને અવિશ્વાસ પ્રસ્તાવ માટે મને ખાતરી છે કે હું છેલ્લી ઘડી સુધી લડીશ.”

ઈમરાનખાને કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જોખમમાં છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ડરેલા નથી અને મુક્ત અને લોકશાહી પાકિસ્તાન માટે તેમની લડત ચાલુ રાખશે. પાકિસ્તાનની શક્તિશાળી સેનાએ છેલ્લા 73 વર્ષમાં અડધાથી વધુ સમયથી દેશ પર શાસન કર્યું છે. તેમણે સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાને કહ્યું કે માત્ર તેમનો જીવ જ જોખમમાં નથી, પરંતુ વિદેશી હાથોની કઠપૂતળી બની ગયેલા વિપક્ષ તેમના ચારિત્ર્યની પણ હત્યા કરશે.

ચારિત્ર્ય હનનનું પણ કાવતરું ઘડ્યુંઃ ઈમરાન ખાન

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને (69) કહ્યું, ‘હું મારા રાષ્ટ્રને કહેવા માંગુ છું કે મારા જીવને પણ ખતરો છે, તેઓએ (વિરોધીઓએ) મારા પાત્રની હત્યાનું ષડયંત્ર પણ રચ્યું છે. માત્ર મારૂ જ નહીં, મારી પત્નીનું પણ’ એમ પૂછવામાં આવ્યું કે વિપક્ષે તેમને કયા વિકલ્પો આપ્યા છે, વડાપ્રધાને કહ્યું કે તેમને નથી લાગતું કે તેમણે વિપક્ષી નેતા શાહબાઝ શરીફ જેવા લોકો સાથે વાત કરવી જોઈએ. “જો અમે બચી જઈશું (અવિશ્વાસની દરખાસ્ત પરના મતમાં) તો અમે આ પક્ષપલટુઓ સાથે કામ કરીશું નહીં).

સમય પહેલા ચૂંટણી યોજવી સારો વિકલ્પ

ઈમરાનખાને કહ્યું કે સમય પહેલા ચૂંટણી યોજવી એ વધુ સારો વિકલ્પ છે, “હું મારા રાષ્ટ્રને વિનંતી કરીશ કે મને સાદી બહુમતી આપે, જેથી મારે સમાધાન ન કરવું પડે.” વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ષડયંત્ર ગણાવતા તેમણે કહ્યું કે હું ગયા વર્ષે ઓગસ્ટથી જાણતો હતો અને કેટલાક વિપક્ષી નેતાઓ દૂતાવાસોના ચક્કર લગાવી રહ્યા હોવાના અહેવાલો હતા. તેમણે કહ્યું, “હુસૈન હક્કાની જેવા લોકો (પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન) નવાઝ શરીફને લંડનમાં મળી રહ્યા હતા.” ARY ન્યૂઝના અહેવાલ મુજબ ખાને કહ્યું કે વિદેશી દેશોએ તેમની સ્વતંત્ર વિદેશ નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે.

ધમકી ભરેલા પત્ર વિશે જાણ કરી

ખાને કહ્યું કે ધમકીભર્યા પત્રમાં માત્ર સત્તા પરિવર્તનની માંગ જ નથી કરવામાં આવી, પરંતુ તેમને વડાપ્રધાન પદ પરથી હટાવવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શુક્રવારે દાવો કર્યો હતો કે સુરક્ષા એજન્સીઓએ વડાપ્રધાનની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. ડૉન અખબારે ચૌધરીને ટાંકીને કહ્યું કે આ અહેવાલો પછી સરકારના નિર્ણય અનુસાર ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુદ્ધ વચ્ચે ચેર્નોબિલથી ભાગી રશિયન સેના, ઘણા દિવસોથી હતો ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો

આ પણ વાંચો: Emergency in Sri Lanka: શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા, આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું

Follow Us
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
g clip-path="url(#clip0_868_265)">