Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો

ઈમરાનખાને કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જોખમમાં છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ડરેલા નથી અને મુક્ત અને લોકશાહી પાકિસ્તાન માટે તેમની લડત ચાલુ રાખશે.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો
Pakistan PM Imran khan (PC-PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:22 AM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) શુક્રવારે કહ્યું હતું કે સેનાએ તેમની સામે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ત્રણ વિકલ્પો આપ્યા છે – અવિશ્વાસના મતનો સામનો કરો, સમય પહેલા ચૂંટણી કરો અથવા વડાપ્રધાન તરીકે રાજીનામું આપો. ઈમરાનખાને આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું વિપક્ષ, સરકાર અથવા અન્ય કોઈ પક્ષે વહેલી ચૂંટણી કરાવવા અથવા વિકલ્પ તરીકે રાજીનામું આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે તેમની સામે ત્રણ વિકલ્પ મૂકવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, “ચૂંટણી શ્રેષ્ઠ વિકલ્પ છે, હું રાજીનામું આપવાનું વિચારી પણ શકતો નથી અને અવિશ્વાસ પ્રસ્તાવ માટે મને ખાતરી છે કે હું છેલ્લી ઘડી સુધી લડીશ.”

ઈમરાનખાને કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે તેમનો જીવ જોખમમાં છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ડરેલા નથી અને મુક્ત અને લોકશાહી પાકિસ્તાન માટે તેમની લડત ચાલુ રાખશે. પાકિસ્તાનની શક્તિશાળી સેનાએ છેલ્લા 73 વર્ષમાં અડધાથી વધુ સમયથી દેશ પર શાસન કર્યું છે. તેમણે સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ખાને કહ્યું કે માત્ર તેમનો જીવ જ જોખમમાં નથી, પરંતુ વિદેશી હાથોની કઠપૂતળી બની ગયેલા વિપક્ષ તેમના ચારિત્ર્યની પણ હત્યા કરશે.

ચારિત્ર્ય હનનનું પણ કાવતરું ઘડ્યુંઃ ઈમરાન ખાન

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને (69) કહ્યું, ‘હું મારા રાષ્ટ્રને કહેવા માંગુ છું કે મારા જીવને પણ ખતરો છે, તેઓએ (વિરોધીઓએ) મારા પાત્રની હત્યાનું ષડયંત્ર પણ રચ્યું છે. માત્ર મારૂ જ નહીં, મારી પત્નીનું પણ’ એમ પૂછવામાં આવ્યું કે વિપક્ષે તેમને કયા વિકલ્પો આપ્યા છે, વડાપ્રધાને કહ્યું કે તેમને નથી લાગતું કે તેમણે વિપક્ષી નેતા શાહબાઝ શરીફ જેવા લોકો સાથે વાત કરવી જોઈએ. “જો અમે બચી જઈશું (અવિશ્વાસની દરખાસ્ત પરના મતમાં) તો અમે આ પક્ષપલટુઓ સાથે કામ કરીશું નહીં).

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

સમય પહેલા ચૂંટણી યોજવી સારો વિકલ્પ

ઈમરાનખાને કહ્યું કે સમય પહેલા ચૂંટણી યોજવી એ વધુ સારો વિકલ્પ છે, “હું મારા રાષ્ટ્રને વિનંતી કરીશ કે મને સાદી બહુમતી આપે, જેથી મારે સમાધાન ન કરવું પડે.” વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ષડયંત્ર ગણાવતા તેમણે કહ્યું કે હું ગયા વર્ષે ઓગસ્ટથી જાણતો હતો અને કેટલાક વિપક્ષી નેતાઓ દૂતાવાસોના ચક્કર લગાવી રહ્યા હોવાના અહેવાલો હતા. તેમણે કહ્યું, “હુસૈન હક્કાની જેવા લોકો (પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન) નવાઝ શરીફને લંડનમાં મળી રહ્યા હતા.” ARY ન્યૂઝના અહેવાલ મુજબ ખાને કહ્યું કે વિદેશી દેશોએ તેમની સ્વતંત્ર વિદેશ નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે.

ધમકી ભરેલા પત્ર વિશે જાણ કરી

ખાને કહ્યું કે ધમકીભર્યા પત્રમાં માત્ર સત્તા પરિવર્તનની માંગ જ નથી કરવામાં આવી, પરંતુ તેમને વડાપ્રધાન પદ પરથી હટાવવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શુક્રવારે દાવો કર્યો હતો કે સુરક્ષા એજન્સીઓએ વડાપ્રધાનની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. ડૉન અખબારે ચૌધરીને ટાંકીને કહ્યું કે આ અહેવાલો પછી સરકારના નિર્ણય અનુસાર ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુદ્ધ વચ્ચે ચેર્નોબિલથી ભાગી રશિયન સેના, ઘણા દિવસોથી હતો ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો

આ પણ વાંચો: Emergency in Sri Lanka: શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા, આર્થિક સંકટને લઈને હિંસક પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું

Latest News Updates

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">