AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન: વિપક્ષની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત, સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને મોકલી નોટિસ

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પણ મોકલી છે.

પાકિસ્તાન: વિપક્ષની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત, સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને મોકલી નોટિસ
Supreme Court of Pakistan.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 7:39 PM
Share

પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાન સરકાર (Imran Khan Government) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે (Pakistan Supreme Court) સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પણ મોકલી છે. અગાઉ, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા નેશનલ એસેમ્બલીના વિસર્જન માટે સ્વયં મોટુ સંજ્ઞાન લેતા, આ મામલાની તપાસ માટે એક વિશેષ બેંચની રચના કરી હતી. આ વિશેષ બેંચ આ મામલાની સમીક્ષા કરશે.

રવિવારે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તેમણે આ દરખાસ્તને એમ કહીને પડતી મૂકી કે આ બંધારણની કલમ 5 વિરુદ્ધ છે. અવિશ્વાસની દરખાસ્ત ફગાવી દેવામાં આવ્યા પછી, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની સલાહ આપી હતી અને નવી ચૂંટણીઓ યોજવાની માંગ કરી હતી. રાષ્ટ્રપતિ અલ્વીએ પણ પીએમ ખાનની આ ભલામણને મંજૂરી આપી હતી.

વિપક્ષે સંસદ ભંગ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો

આ સાથે જ વિપક્ષે સંસદ ભંગ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે વિપક્ષ ટૂંક સમયમાં આ નિર્ણયનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટમાં જશે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. પીપીપી અધ્યક્ષે કહ્યું કે સંયુક્ત વિપક્ષ સંસદ સિવાય ક્યાંય જઈ રહ્યો નથી. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે અમારી પાસે બહુમતી હતી. અમે ઈમરાન ખાનને હરાવી શક્યા હોત, પરંતુ સ્પીકરે છેલ્લી ઘડીએ ખોટો નિર્ણય લીધો.

બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના સુપ્રીમો નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે ઈમરાન ખાનને પાગલ અને ઝનૂની વ્યક્તિ ગણાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે જો તેમને સજા નહીં મળે તો આજથી દેશમાં જંગલનો કાયદો યથાવત રહેશે. આ સિવાય નવાઝ શરીફના ભાઈ અને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા શાહબાઝ શરીફે ઈમરાન ખાનની કાર્યવાહીને દેશદ્રોહથી ઓછી નથી ગણાવી.

આ પણ વાંચો : Pakistan: રાજકીય ગતિવિધિઓ વચ્ચે સેનાની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- અમારે રાજકીય પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">