AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kaveri: 500 ભારતીયો સુદાનના બંદરે પહોંચ્યા, બાકી રહેતા લોકોને લાવવા માટે વિમાન અને જહાજ તૈનાત

Operation Kaveri: સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને "ઓપરેશન કાવેરી" નામ આપ્યું છે. એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે તમામ નાગરિકોને પરત લાવવા માટે વિમાનો અને જહાજો તૈનાત કરાયા છે.

Operation Kaveri: 500 ભારતીયો સુદાનના બંદરે પહોંચ્યા, બાકી રહેતા લોકોને લાવવા માટે વિમાન અને જહાજ તૈનાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 5:43 PM
Share

Operation Kaveri: ભારત સરકાર અને ભારતીય સેના હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે ભારતમાં પરત લાવવાની કાર્યવાહીમાં કરી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે સરકાર નાગરિકોને પરત લાવવા માટે “ઓપરેશન કાવેરી” ચલાવી રહી છે. લગભગ 500 ભારતીય નાગરિકો સુદાનના બંદરે પહોંચી ગયા છે, જ્યારે ઘણા રસ્તા પર છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના વિમાન અને નૌકાદળના જહાજો નાગરિકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છે. આંતરારાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એસ જયશંકરે ટ્વિટર પર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની બે તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ભારતીય નાગરિકો ભારતનો ધ્વજ લઈને ફરતા જોવા મળે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર સુદાનમાં અમારા તમામ ભાઈઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ગઈકાલે માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાના બે વિમાનો જેદ્દાહ અને આઈએનએસ સુમેધા સુદાન બંદર પર પહેલાથી જ તૈનાત છે. સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે જો કોઈ કટોકટીની સ્થિતિનો સામનો કરવો પડે, તો ભારત સરકાર તેના માટે પણ તૈયાર છે, કારણ કે આયોજન પહેલેથી જ થઈ ગયું છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, કહ્યું ‘સ્વતંત્ર ભારતના ઈતિહાસના સૌથી બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ વડાપ્રધાન’

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ફ્રાન્સે સુદાનમાંથી ફ્રાન્સ અને ભારતના નાગરિકો સહિત 28 દેશોના 388 લોકોને બહાર કાઢ્યા છે. ફ્રાન્સની એમ્બેસીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ફ્રાન્સે નાગરિકોને બહાર કાઢવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જોકે, ફ્રાન્સ દ્વારા ભારતના કેટલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">