AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kaveri: 500 ભારતીયો સુદાનના બંદરે પહોંચ્યા, બાકી રહેતા લોકોને લાવવા માટે વિમાન અને જહાજ તૈનાત

Operation Kaveri: સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને "ઓપરેશન કાવેરી" નામ આપ્યું છે. એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે તમામ નાગરિકોને પરત લાવવા માટે વિમાનો અને જહાજો તૈનાત કરાયા છે.

Operation Kaveri: 500 ભારતીયો સુદાનના બંદરે પહોંચ્યા, બાકી રહેતા લોકોને લાવવા માટે વિમાન અને જહાજ તૈનાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 5:43 PM
Share

Operation Kaveri: ભારત સરકાર અને ભારતીય સેના હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે ભારતમાં પરત લાવવાની કાર્યવાહીમાં કરી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે સરકાર નાગરિકોને પરત લાવવા માટે “ઓપરેશન કાવેરી” ચલાવી રહી છે. લગભગ 500 ભારતીય નાગરિકો સુદાનના બંદરે પહોંચી ગયા છે, જ્યારે ઘણા રસ્તા પર છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના વિમાન અને નૌકાદળના જહાજો નાગરિકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છે. આંતરારાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

એસ જયશંકરે ટ્વિટર પર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની બે તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ભારતીય નાગરિકો ભારતનો ધ્વજ લઈને ફરતા જોવા મળે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર સુદાનમાં અમારા તમામ ભાઈઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ગઈકાલે માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાના બે વિમાનો જેદ્દાહ અને આઈએનએસ સુમેધા સુદાન બંદર પર પહેલાથી જ તૈનાત છે. સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે જો કોઈ કટોકટીની સ્થિતિનો સામનો કરવો પડે, તો ભારત સરકાર તેના માટે પણ તૈયાર છે, કારણ કે આયોજન પહેલેથી જ થઈ ગયું છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, કહ્યું ‘સ્વતંત્ર ભારતના ઈતિહાસના સૌથી બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ વડાપ્રધાન’

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ફ્રાન્સે સુદાનમાંથી ફ્રાન્સ અને ભારતના નાગરિકો સહિત 28 દેશોના 388 લોકોને બહાર કાઢ્યા છે. ફ્રાન્સની એમ્બેસીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ફ્રાન્સે નાગરિકોને બહાર કાઢવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જોકે, ફ્રાન્સ દ્વારા ભારતના કેટલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">