AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: શું સરમુખત્યાર કિમ જોંગ ઉન બદલાય ગયા, નવા વર્ષમાં પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર આપશે ધ્યાન

North Korea News: સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના તાજેતરના ભાષણમાં સંકેત આપ્યો છે કે, તેઓ હવે પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

North Korea: શું સરમુખત્યાર કિમ જોંગ ઉન બદલાય ગયા, નવા વર્ષમાં પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર આપશે ધ્યાન
Kim Jong Un - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 2:35 PM
Share

North Korea Kim Jong un: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) વિશે એવા સમાચાર આવ્યા છે કે, નવા વર્ષમાં તેમનું ધ્યાન પરમાણુ હથિયારો અને અમેરિકા (America)ની જગ્યાએ  દેશના આર્થિક વિકાસ પર હશે. શનિવારે સરકારી મીડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, દેશમાં ફેક્ટરી (Factory)ઓ પર કામ કરવામાં આવશે. કિમ જોંગે (Kim Jong un)શુક્રવારે કોરિયા વર્કર્સ પાર્ટી (WPK)ની 8મી સેન્ટ્રલ કમિટી(Central Committee)ની ચોથી બેઠકના અંતે આ બાબતોનો સંકેત આપ્યો હતો.

કિમ જોંગે કહ્યું કે, 2022 માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ (Economic Development) શરૂ કરવાનું અને લોકોના જીવનમાં સુધારો કરવાનું રહેશે, કારણ કે દેશ “જીવન-મરણના સંઘર્ષ”નો સામનો કરી રહ્યો છે. વર્ષ 2011માં પિતાના અવસાન બાદ કિમે દેશની કમાન સંભાળી હતી.

આ બેઠકો તેમના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા પર યોજાઈ રહી છે. આ દરમિયાન કિમે કહ્યું, ‘અમારું મૂળભૂત કાર્ય પંચ વર્ષીય યોજનાના અમલીકરણ, રાષ્ટ્રીય વિકાસ (development) અને લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે નક્કર ગેરંટી પ્રદાન કરવાનું છે.’

કિમ જોંગ ઘરેલું મુદ્દાઓ પર વાત કરી

સામાન્ય રીતે, કિમ જોંગ નવા વર્ષ નિમિત્તે ભાષણો આપે છે અને મોટી નીતિની જાહેરાત કરે છે. પરંતુ આ વખતે તેમણે પોતાના ભાષણમાં ઘરેલું મુદ્દાઓ (Kim Jong un News) પર સૌથી વધુ ભાર આપ્યો. ગ્રામીણ વિકાસ માટેની મહત્વાકાંક્ષી યોજનામાંથી, તેમણે લોકોના ખોરાક, શાળાના ગણવેશની જરૂરિયાત અને ‘બિન-સમાજવાદી પ્રથાઓ’ પર તોડ પાડવા માટે હાકલ કરી.

કિમ જોંગના આ ભાષણને અલગ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દરમિયાન તેમણે વૈશ્વિક બાબતો પર વાત કરી ન હતી. ન તો લશ્કર કે શસ્ત્રો પર બહુ ભાર મૂક્યો.

સૈનિકોને વફાદારી બતાવવા કહ્યું

અગાઉ, સેનાના સર્વોચ્ચ કમાન્ડર બનવાની 10મી વર્ષગાંઠના અવસર પર, કિમ જોંગ ઉને તેના 1.2 મિલિયન સૈનિકોને તેમની (કિમ જોંગ ઉન) શક્તિ બનવા અને તેમની (North Korea Situation)ની સુરક્ષા કરવા કહ્યું હતું. દેશમાં વર્ષગાંઠ એવા સમયે ઉજવવામાં આવી રહી છે જ્યારે ઉત્તર કોરિયા કોવિડ-19 મહામારી, યુએનના પ્રતિબંધો અને તેના ગેરવહીવટને કારણે તેના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે. દેશમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : INDIAN ARMY : નવા વર્ષ પર ભારતીય સેનાએ ફરી પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો, મિઠાઈ આપી શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">