AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Firing: નાઇજીરીયાના કેથોલિક ચર્ચમાં ઘૂસેલા સશસ્ત્ર હુમલાખોરનો આડેધડ ગોળીબાર, 50ના મોતની આશંકા

Nigeria Firing: જનપ્રતિનિધિએ જણાવ્યું કે ચર્ચ(Attack In Church)માં આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ત્યાં હાજર લોકો ખ્રિસ્તી તહેવાર 'પેન્ટેકોસ્ટ સન્ડે'ના અવસર પર એકઠા થયા હતા.

Nigeria Firing: નાઇજીરીયાના કેથોલિક ચર્ચમાં ઘૂસેલા સશસ્ત્ર હુમલાખોરનો આડેધડ ગોળીબાર, 50ના મોતની આશંકા
Gunmen shoot at Nigerian Catholic Church, killing 50
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:54 AM
Share

Nigeria Firing: નાઈજીરિયા(Nigeria)ના એક ચર્ચમાં હુમલા(Attack In Church)ની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સશસ્ત્ર હુમલાખોરો ચર્ચમાં ઘૂસી ગયા અને ત્યાં પ્રાર્થનામાં હાજર લોકો પર ગોળીબાર(Shoot Out) શરૂ કરી દીધો. ફાયરિંગ દરમિયાન ચર્ચમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જ્યારે બંદૂકધારીઓના અંધાધૂંધ ગોળીબારને કારણે અનેક લોકોના મોત થયા હતા. એક જનપ્રતિનિધિએ જણાવ્યું કે આ ઘટના રવિવારે દક્ષિણ પશ્ચિમ નાઈજીરિયામાં એક કેથોલિક ચર્ચમાં બની હતી.

તેમણે કહ્યું, “ચર્ચામાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ લોકો પર હુમલો કર્યો.આટલું જ નહીં, ચર્ચમાં વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે લગભગ 50 લોકોના મોતની આશંકા છે. ઓગુનમોલાસુયી ઓલુવોલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ ઓન્ડો રાજ્યમાં સેન્ટ ફ્રાન્સિસ કેથોલિક ચર્ચને નિશાન બનાવ્યું હતું. તેણે કહ્યું કે આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ત્યાં હાજર લોકો ખ્રિસ્તી તહેવાર ‘પેન્ટેકોસ્ટ સન્ડે’ના અવસર પર એકઠા થયા હતા. 

મૃતકોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે

ઓલુવોલેએ કહ્યું, ‘મૃતકોમાં ઘણા બાળકો પણ હતા. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.જો કે અધિકારીઓએ હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે 50 થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, નાઇજિરિયન સંસદના નીચલા ગૃહના સભ્ય, તિમિલીને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે, જો કે અન્ય લોકોએ કહ્યું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. નોંધપાત્ર રીતે, નાઇજીરિયાનો મોટો હિસ્સો ઇસ્લામિક ઉગ્રવાદનો સામનો કરી રહ્યો છે, જ્યારે ઓન્ડોને નાઇજિરિયામાં સૌથી શાંતિપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">