AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Syria News: સીરિયન સેનાના જવાનોની બસ પર આતંકી સંગઠન ISનો મોટો હુમલો, 20 જવાનોના મોત, અનેક ઘાયલ

સીરિયાના પૂર્વ ભાગમાં બંદૂકધારીઓએ સૈનિકોને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 જવાનો શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એવું માનવામાં આવે છે કે 2019માં આતંકવાદી સંગઠનની હાર બાદ પણ તેમના 'સ્લીપર સેલ' સીરિયાના અલગ-અલગ વિસ્તારોમાં ઘાતક હુમલાઓ કરી રહ્યા છે.

Syria News: સીરિયન સેનાના જવાનોની બસ પર આતંકી સંગઠન ISનો મોટો હુમલો, 20 જવાનોના મોત, અનેક ઘાયલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 5:28 PM
Share

પૂર્વ સીરિયામાં સૈનિકોને લઈ જતી બસ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 જવાનો શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિપક્ષી કાર્યકરોએ આ માહિતી આપી હતી. આ કૃત્ય કરનાર આતંકવાદી જૂથ હોવાનું માનવામાં આવે છે. ઇસ્લામિક સ્ટેટ (IS) એ ગુરુવારે રાત્રે હુમલો કર્યો હતો. 2019માં આતંકવાદી સંગઠનની હાર બાદ પણ તેમના ‘સ્લીપર સેલ’સીરિયાદેશના વિવિધ વિસ્તારોમાં ઘાતક હુમલાઓ કરી રહ્યા છે.

બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે ઈરાકની સરહદે આવેલા દેઈર અલ-ઝોર પ્રાંતમાં માયાદીન શહેર નજીક નિર્જન રસ્તા પર થયેલા હુમલામાં 23 સીરિયન સૈનિકો માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. અન્ય એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે 20 સૈનિકો મૃત્યુ પામ્યા હતા, અને ઘણા વધુ ઘાયલ થયા હતા.

સીરિયાની એક એજન્સી અનુસાર આ હુમલો ગુરુવારે રાત્રે થયો હતો, જેમાં ‘ઘણા સૈનિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે’. તેણે આનાથી વધુ કોઈ માહિતી આપી નથી. સીરિયન સૈન્ય અને સરકારે આ હુમલા પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : US: Hawaiiના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો, લોકો પોતાનો જીવ બચાવવા માટે સમુદ્રમાં કુદી ગયા

ISએ સીરિયા અને ઈરાકના મોટા ભાગ પર કબજો કર્યો અને જૂન 2014માં સંગઠને ત્યાં ‘ખિલાફત’ જાહેર કરી. આ પછી, તે 2017 માં ઇરાકમાં હાર્યું અને 2 વર્ષ પછી, સીરિયાએ પણ તેને ભગાડી દીધું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
g clip-path="url(#clip0_868_265)">