AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીન પહોંચી બોમ્બવાળી ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત, એરલાઈન્સે હંગામા પર કરી સ્પષ્ટતા

આજે સવારે ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, વિમાન લગભગ 45 મિનિટ સુધી દિલ્હી (Delhi) અને જયપુરના એરસ્પેસમાં ઉડતું રહ્યું. પરંતુ તેને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ચીન પહોંચી બોમ્બવાળી ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત, એરલાઈન્સે હંગામા પર કરી સ્પષ્ટતા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 3:55 PM
Share

દિલ્હી (Delhi) એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી ન મળતા અને વાયુસેનાના વિરોધ બાદ મહાન એરલાઈન્સે પ્રેસનોટ જાહેર કરીને પોતાની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ કંપનીનું એરબસ 340 મુસાફરો સાથે તેહરાનથી ચીનના (China) ગુઆંગઝુ જઈ રહ્યું હતું. આ દરમિયાન પાયલટને પ્લેનની અંદર કથિત બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી તેણે ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાથે પરિસ્થિતિ શેર કરી. પરંતુ મહાનના ઓપરેશન કંટ્રોલ સેન્ટરે તરત જ પરિસ્થિતિ સમજી લીધી કે બોમ્બ હોવાની અફવા છે અને પ્લેન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

મહાન એરલાઈન્સનું કહેવું છે કે આ ઘટનાને જોતા એવું લાગે છે કે આવા નકલી અહેવાલ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પર અસર કરવા માટે બનાવવામાં આવ્યા હતા, જેથી શાંતિને ખલેલ પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે મહાન એરલાઇન્સ ફ્લાઇટની સલામતી જાળવવા અને મુસાફરોને સારી સેવા આપવા માટે હંમેશની જેમ કટિબદ્ધ છે.

બાંગ્લાદેશ થઈને ચીનમાં લેન્ડ કર્યું

તમને જણાવી દઈએ કે આજે સવારે ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, વિમાન લગભગ 45 મિનિટ સુધી દિલ્હી અને જયપુરના એરસ્પેસમાં ઉડતું રહ્યું. પરંતુ તેને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બોમ્બની માહિતી મળતાં દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર તરફ લઈ જવાનું કહ્યું હતું. પરંતુ પાયલોટે જયપુરમાં લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ આ ફ્લાઈટ બાંગ્લાદેશ થઈને ચીનમાં લેન્ડ થઈ હતી.

બંનેમાંથી કોઈ એરપોર્ટ લેન્ડ કરવા માંગતા નથી

સોમવારે સવારે બોમ્બની ધમકી બાદ ભારતીય વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જઈ રહેલા મહાન એર પેસેન્જર પ્લેનને અટકાવવા માટે તેનું ફાઈટર એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું. વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. નિવેદન અનુસાર, આ ઘટના સવારે બની હતી જ્યારે ફ્લાઈટ નંબર W-581 ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડી રહી હતી.

ભારતીય લડાકુ વિમાનોએ આ ઉડાનને સુરક્ષિત અંતરે અનુસરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાનને પહેલા જયપુર અને પછી ચંદીગઢમાં ઉતરાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પછી પાયલોટે કહ્યું કે તે પ્લેનને બેમાંથી કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ કરવા માંગતો નથી.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">