AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાન : કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત અને અનેક ઘાયલ

ગુરુવારે કાબુલ (Kabul), મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ વિસ્ફોટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાન : કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત અને અનેક ઘાયલ
Bomb Blast in Mosque - File PhotoImage Credit source: (Pic- Twitter @ImamRezaEN)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 7:56 PM
Share

અફઘાનિસ્તાન (Afghanistan) 24 કલાકમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી (Bomb Blasts) હચમચી ગયું છે. અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મઝાર-એ શરીફની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.

ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મવલી સિકંદર મસ્જિદમાં આજે બપોરે એક વિસ્ફોટ થયો છે. માહિતી આપતા કુન્દુઝના ઈમામ સાહેબે જણાવ્યું કે આ ઘટનામાં 30 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

બોમ્બ વિસ્ફોટોમાં 30ના મોત

આવી જ રીતે અફઘાનિસ્તાનમાં ગુરુવારે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી તાત્કાલિક કોઈ સંગઠને લીધી નથી. જોકે, અત્યાર સુધી થયેલા મોટાભાગના વિસ્ફોટો લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. વિસ્ફોટને અંજામ આપવાની પદ્ધતિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન પ્રાંત (IS-K) જેવી જ છે.

સાઈ દોકન મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો

ઉત્તર મઝાર-એ-શરીફની મુખ્ય હોસ્પિટલના ડૉ. ગૌસુદ્દીન અનવારીએ જણાવ્યું કે ઉત્તર મઝાર-એ-શરીફમાં ત્રણ હુમલાઓ થયા, જેમાં 30 નમાઝીઓ માર્યા ગયા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા, જેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઉત્તરી મઝાર-એ-શરીફ સ્થિત સાઈ દોકન મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવીને અનેક વિસ્ફોટો કરવામાં આવ્યા હતા

ગુરુવારે સવારે રાજધાની કાબુલમાં રોડ કિનારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા. તે બોમ્બ દ્વારા દેશના લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટની આ ઘટના કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં બની હતી. બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવતા અનેક વિસ્ફોટોમાં ઓછામાં ઓછા છ બાળકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Maharashtra: મંત્રી ધનંજય મુંડે પાસેથી 5 કરોડની ખંડણી માંગવા બદલ મહિલાની ધરપકડ, બળાત્કારના આરોપમાં ફસાવવાની આપી હતી ધમકી

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">