AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે વિદેશ મંત્રી જયશંકરની સામે ભારતને લઈએ કહી દીધું કંઈક આવું

ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે ઇઝરાયલ ભારતને પ્રેમ કરે છે. એસ. જયશંકરે વડાપ્રધાન મોદી તરફથી નફ્ટાલી બેનેટને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઇઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે વિદેશ મંત્રી જયશંકરની સામે ભારતને લઈએ કહી દીધું કંઈક આવું
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:06 AM
Share

ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે (Naftali Bennett) બુધવારે વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથેની મુલાકાત દરમિયાન ભારતને શ્રેષ્ઠ મિત્ર ગણાવ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે તેમનો દેશ ભારતને ખૂબ પ્રેમ કરે છે અને તેને એક સારા મિત્ર તરીકે જુએ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ઇઝરાયલની પાંચ દિવસની મુલાકાતે છે. એસ. જયશંકરે બુધવારે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટને પીએમ મોદી તરફથી ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઇઝરાયેલના વડા પ્રધાને જણાવ્યું હતું કે, “હું તમામ ઇઝરાયલીઓ વતી કહેવા માંગુ છું કે અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે ભારતને એક સારા મિત્ર તરીકે જોઈએ છીએ અને તમામ ક્ષેત્રોમાં અમારા સંબંધો વધારવા માંગીએ છીએ.”

બેનેટ અને જયશંકરની મુલાકાતમાં ઇઝરાયલ-ભારતની મિત્રતા, દ્વિપક્ષીય અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસે જાહેર કરેલા નિવેદન અનુસાર, એસ. જયશંકરે વડાપ્રધાન મોદી વતી નફ્ટાલી બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જયશંકરે બેનેટ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલ સાથેના સંબંધો અંગે પણ ભારતની ખૂબ જ મજબૂત લાગણીઓ છે.

બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે છે કારણ કે અત્યાર સુધી આપણા માટે બધું જ સારું રહ્યું છે. હવે આપણી સામે પડકાર એ હશે કે આપણા સંબંધોને નવી ઊંચાઈ પર કેવી રીતે લઈ જવા.

સોમવારે જયશંકરે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડ સાથે મુલાકાત કરી હતી. બંને દેશો નવેમ્બરથી મુક્ત વેપાર કરાર પર વાતચીત શરૂ કરવા સંમત થયા છે. આ બેઠક બાદ વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે બંને દેશો 2022 ના મધ્ય સુધીમાં કરારને અંતિમ રૂપ આપશે. બંને દેશોએ એકબીજાના રસી પ્રમાણપત્ર અંગે પરસ્પર સંમતિ પણ આપી છે. બેનેટની જેમ લેપિડે પણ ભારતની પ્રશંસા કરી અને જયશંકરનો ઇઝરાયલની મુલાકાત માટે આભાર માન્યો હતો.

ભારતે વર્ષ 1992 માં ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ઈઝરાયલ-ભારત સંબંધો વધુ મજબૂત થયા છે. પીએમ મોદીએ જુલાઈ 2017 માં ઈઝરાયલની મુલાકાત લીધી હતી. તેઓ ઇઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા. વર્ષ 2018 માં પીએમ મોદીએ પેલેસ્ટાઈનની પણ મુલાકાત લીધી હતી. ભારતે આ મુલાકાતો દ્વારા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે તેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : OMG ! બાળકના હાથમાં આવી ગયો ફોન, પોલીસને કોલ લગાવીને કહ્યુ મારા રમકડાં જોવા આવો, પછી થયું આ

આ પણ વાંચો : Surat: દિવાળીમાં ફરવા જવા માંગતા સુરતીઓ ખાસ વાંચો, મનપાએ વેક્સિનને લઈને કરી મોટી જાહેરાત

Follow Us
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
g clip-path="url(#clip0_868_265)">