કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ત્રણ બાબતે પાકિસ્તાનને ફટકાર

|

Jul 17, 2019 | 6:17 PM

કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા કુલભૂષણની ફાંસી પર રોક લગાવી છે. ICJમાં ભારતના પક્ષમાં નિર્ણય આવતા કોર્ટે કુલભૂષણને કાઉન્સિલ આપવાની મંજૂરી પણ આપી છે. કોર્ટે કહ્યું કે બંને દેશ વિયેના સંધિથી બંધાયેલા છે અને કુલભૂષણ જાધવને કાઉન્સિલર મળવો જોઇએ તે તેનો અધિકાર છે. કોર્ટમાં 15-1થી ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો છે. રોચક […]

કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ત્રણ બાબતે પાકિસ્તાનને ફટકાર

Follow us on

કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા કુલભૂષણની ફાંસી પર રોક લગાવી છે. ICJમાં ભારતના પક્ષમાં નિર્ણય આવતા કોર્ટે કુલભૂષણને કાઉન્સિલ આપવાની મંજૂરી પણ આપી છે. કોર્ટે કહ્યું કે બંને દેશ વિયેના સંધિથી બંધાયેલા છે અને કુલભૂષણ જાધવને કાઉન્સિલર મળવો જોઇએ તે તેનો અધિકાર છે. કોર્ટમાં 15-1થી ચુકાદો ભારતની તરફેણમાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

પાકિસ્તાનને ત્રણ બાબતે કોર્ટની ફટકાર

  • કુલભૂષણની ફાંસી પર રોક
  • કાઉન્સિલર એકસેસ મળશે
  • કોર્ટે કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનો ઉલ્લંઘન કર્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આખરે કાઉન્સિલર એક્સેસ શું છે તે સવાલ તમને ચોક્કસ થશે તો આપને કહી દઇએ કે ભારતે રાજદ્વારી સંબંધો પર વિયેના સંધિના નિયમ અંતર્ગત જાધવને રાજદ્વારી અધિકારીનો સંપર્ક કરવાની છૂટ આપવાની માગ કરી હતી. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે જે સ્વતંત્ર દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. રાજદ્વારી અધિકારી એ રાજદૂત નથી પરંતુ તે યજમાન દેશમાં વિદેશી રાષ્ટ્રનો પ્રતિનિધિ છે જે યજમાન દેશમાં તેના પોતાના દેશના હિતો માટે કામ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વિયેના સંધિની કલમ-36 કહે છે કે ધરપકડ કે અટકાયત કરાયેલા વિદેશી નાગરિકને તેના એમ્બેસી કે કોન્સ્યુલેટને જાણ કરવાના અધિકાર અંગે કોઇ પણ પ્રકારના વિલંબ વગર નોટિસ આપવી જોઇએ. જો અટકાયત કરાયેલો વિદેશી નાગરિક વિનંતી કરે તો પોલીસે તે નોટિસ એમ્બેસી કે કોન્સ્યુલેટને ફેક્સ કરવી જરૂરી છે. કોન્સ્યુલેટને નોટિસ ફેક્સ જેવી સાદી હોઇ શકે છે અને તેમાં વ્યક્તિનું નામ, ધરપકડનું સ્થળ અને જો શક્ય હોય તો અટકાયત કે ધરપકડ માટેના કારણ અંગે થોડી માહિતી હોય છે.

[yop_poll id=”1″]

Next Article