AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. વિશ્વમાંથી ડેન્ગ્યુને ખતમ કરવા માટે હાલ World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

Good News : શું ડેન્ગ્યુ ખતમ થઈ જશે ? ઈન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી પદ્ધતિની કરી શોધ
Dengue
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:17 AM
Share

Dengue : તમે એક કહેવત તો સાંભળી જ હશે કે ‘લોખંડ જ લોખંડને કાપે’. હાલ ડેન્ગ્યુને નાબુદ કરવા માટે ઈન્ડોનેશિયાના (Indonesia) વૈજ્ઞાનિકોએ પણ કંઈક આવી જ અનોખી રીત શોધી કાઢી છે. જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુનિયામાંથી ડેન્ગ્યુ ખતમ થઈ જશે.

આ વૈજ્ઞાનિકોએ લેબમાં Good Mosquito તૈયાર કર્યો છે. જે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોને મારી નાખે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ Good Mosquito વ્યક્તિને કરડે તો પણ તેને ડેન્ગ્યુ થતો નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ હાલ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વિશ્વમાંથી ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે World Mosquito Program ચલાવવામાં આવી રહ્યો છે.

ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો નોંધાયો

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને ઈન્ડોનેશિયાની ગડજાશ યુનિવર્સિટીના (Gadjah Mada University) વૈજ્ઞાનિકો આ રિચર્સમાં સામેલ છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓએ Good Mosquito ને ઈન્ડોનેશિયાના રેડ ઝોનમાં ટ્રાયલ માટે છોડ્યા હતા. જે બાદ ડેન્ગ્યુના કેસમાં 77 ટકાનો ઘટાડો થયો છે.

દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઘટી રહ્યા છે

બીજી તરફ દિલ્હીમાં (Delhi) પણ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલોમાં આવનારા નવા દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે ડેન્ગ્યુના ગંભીર લક્ષણો (Dengue Symptoms) ધરાવતા દર્દીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, હવામાનમાં વધતી ઠંડીને કારણે ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી નથી. જેના કારણે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

ડેન્ગ્યુના લક્ષણો

તબીબોના મતે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી થાય છે, જે મોટાભાગે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. જેથી મહત્વનું છે કે લોકો તેમની આસપાસ પાણી એકઠું ન થવા દે. તેનાથી બચવા માટે હંમેશા ફુલ સ્લીવના કપડા પહેરો. ઉપરાંત જો તમને બે દિવસથી વધુ તાવ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. આ સાથે નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો, આંખોમાં દુખાવો થવો, થાક લાગવો, ઉલ્ટી થવી અને ઝાડા પણ ડેન્ગ્યુના લક્ષણો છે.

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

આ પણ વાંચો: Health : કાનના દુખાવાને આ ઘરગથ્થુ ઈલાજથી કરો દૂર

Follow Us
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ વધશે, સામાજિક સંપર્કો તરફ વળો
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
g clip-path="url(#clip0_868_265)">