AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khalistani Vs Khalsa: USAમાં ભારતીય રાજદૂતનો ખાલિસ્તાનીઓને જોરદાર જવાબ, જાણો શું કહ્યું?

ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુએ પશ્ચિમી દેશોમાં ખાલિસ્તાન સમર્થકોના ઉપદ્રવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે શીખ ધર્મમાં ખાલસાનો અર્થ પણ સમજાવ્યો હતો.

Khalistani Vs Khalsa: USAમાં ભારતીય રાજદૂતનો ખાલિસ્તાનીઓને જોરદાર જવાબ, જાણો શું કહ્યું?
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:37 PM
Share

પંજાબમાં કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ પર પોલીસની કાર્યવાહી બાદ ખાલિસ્તાન સમર્થકોએ લંડન, બ્રિટિશ કોલંબિયા અને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસોમાં તોડફોડ કરી હતી. થોડા દિવસો પછી યુ.એસ.માં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુએ કહ્યું કે, ખાલસા એ ‘એકજૂટ કરનારી તાકાત છે તે વિભાજનકારી તાકાત નથી’.

આ પણ વાચો: Amritpal Singh: પંજાબ પોલીસને મળી મોટી સફળતા! ધરપકડ કરાયેલ NRI પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત મહત્વના પુરાવા મળ્યા

ભારતીય રાજદૂત સંધૂએ 9 એપ્રિલના રોજ વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી, જ્યાં તેમને અન્ય ઘણા પ્રખ્યાત શીખો સાથે અમેરિકાના શીખો દ્વારા પ્રતિષ્ઠિત ‘શીખ હીરો એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. તેમના ભાષણ દરમિયાન સંધુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “બૈસાખી પર ગુરુ ગોવિંદ સિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાલસા, એકીકૃત શક્તિ છે, વિભાજન કરનારી શક્તિ નથી”. તેમણે કહ્યું કે શીખ ધર્મનો ઈતિહાસ મહત્વપૂર્ણ વિચાર અને મૂળભૂત સિદ્ધાંતો સાથે સંકળાયેલો છે, જેમાં એકતા, સમાનતા, પ્રામાણિક જીવન, સાર્વત્રિકતા, સેવા, ધ્યાન, મનની શાંતિ અને લોકો વચ્ચે સંવાદિતા જાળવવાનો સમાવેશ થાય છે.

અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં હોબાળો થયો હતો

યુ.એસ., કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી જૂથો દ્વારા હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા સંધુએ કહ્યું કે “આપણે આપણા મૂળ મૂલ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ, એવી રીતે નહીં જેવી રીતે કેટલાક તોફાની તત્વો ઑનલાઈન મીડિયાનો ઉપયોગ કરીને કરે છે.” તેમના ભાષણમાં સંધુએ ભારતના ઉદય અને અર્થતંત્ર, ડિજિટાઈઝેશન, સ્વાસ્થ્ય અને ઉદ્યોગસાહસિકતાના મુખ્ય ક્ષેત્રોમાં દેશની કેટલીક મોટી સિદ્ધિઓ પણ જણાવી હતી.

ઉપદ્રવ ફેલાવનારા અલગતાવાદીઓ સામે કાર્યવાહી

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ભારત સરકાર અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ‘ખાલિસ્તાન’ના નામે ઉપદ્રવ ફેલાવનારા અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરશે. આ કાર્યવાહી હેઠળ ભારત, અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર હિંસામાં સામેલ ખાલિસ્તાનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે, અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસ પ્રયત્ન કરી રહી છે.

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">