AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ

Pangong Lake Bridge: ચીન લદ્દાખના પેંગોંગ લેક પર બ્રિજ બનાવી રહ્યું છે, જેનો ભારતે સ્પષ્ટ વિરોધ કર્યો છે. તેના પર ચીનનું કહેવું છે કે તે ક્ષેત્રીય સંપ્રભુતાને બચાવવા માટે આવું કરી રહ્યું છે.

પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ
Pangong Lake ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:31 AM
Share

ચીન પૂર્વ લદ્દાખમાં (Ladakh) પેંગોંગ તળાવ (Pangong Lake) પર પુલ બનાવી રહ્યું છે. આ મામલે ચીનનું કહેવું છે કે તે તેની પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. આ પહેલા ગુરુવારે ભારતે કહ્યું હતું કે ચીન(China) જ્યાં પેંગોંગ લેક પર પુલ બનાવી રહ્યું છે તે વિસ્તાર છેલ્લા 60 વર્ષથી ચીનના ગેરકાયદેસર નિયંત્રણ હેઠળ છે અને ભારત આવી પ્રવૃત્તિ ક્યારેય સ્વીકારી નથી. તે જ સમયે ભારત ચીનની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “પૈંગોંગ તળાવ પર ચીન દ્વારા પુલ બનાવવાના સમાચારને ધ્યાનમાં રાખીને સરકાર ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે.” જે વિસ્તાર છેલ્લા 60 વર્ષથી ચીનના ગેરકાયદેસર નિયંત્રણ હેઠળ છે. જેમ તમે બધા જાણો છો ભારતે ક્યારેય આ ગેરકાયદે નિયંત્રણ સ્વીકાર્યું નથી.

ભારત દરેક સંભવિત પગલાં લઈ રહ્યું છે

બાગચીએ કહ્યું કે ભારત તેના સુરક્ષા હિતોની સંપૂર્ણ સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે. બાગચીની ટિપ્પણી અંગેના પ્રશ્નોના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને શુક્રવારે પત્રકારોને પેંગોંગ સો પુલનો સીધો ઉલ્લેખ કર્યા વિના કહ્યું, “મને ખબર નથી કે તમે શું કહ્યું.” ખુરનાક વિસ્તારમાં પુલના નિર્માણની સેટેલાઈટ તસવીરો સોમવારે સામે આવી છે. ત્યારથી ચીનની આ કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે.

સાર્વભૌમત્વના રક્ષણ માટેનું કારણ આપવામાં આવ્યું

સાથે જ વાંગે કહ્યું છે કે ‘હું જણાવવા માંગુ છું કે ચીન દ્વારા તેની સરહદમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે તેની સાર્વભૌમત્વ હેઠળ છે અને તેનો ધ્યેય ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વની રક્ષા કરવાનો છે અને ચીનમાં શાંતિ અને સ્થિરતા જાળવવી પડશે.

ભારત-ચીન સરહદ પર આ કિસ્સામાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે તળાવ પર બની રહેલા પુલથી ખુરનાક અને દક્ષિણ કિનારા વચ્ચેનું 180 કિલોમીટરનું અંતર સમાપ્ત થશે. એટલે કે ખુરનાકથી રૂડોક સુધીનો રૂટ અગાઉના 200 કિલોમીટરની સરખામણીમાં હવે માત્ર 40-50 કિલોમીટરનો રહેશે.

આ પણ વાંચો : Jammu Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, સુરક્ષાદળોએ 7 દિવસમાં 19 આતંકવાદીઓને કર્યા ઠાર

આ પણ વાંચો : Child Care: શિયાળા દરમિયાન બાળકને શરદીથી રાહત અપાવવા માટે કરો આ 5 ઘરગથ્થુ ઉપચાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">