AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India At UNHRC : ભારતે ફરી મિત્રતા નિભાવી, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના ઠરાવ પર મતદાન ના કર્યું

આ પહેલીવાર નથી જ્યારે ભારતે યુએન માનવાધિકાર પરિષદમાં કોઈ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હોય. ભારત અત્યાર સુધી 9 ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું છે. જો કે ભારતે નાગરિકો પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

India At UNHRC : ભારતે ફરી મિત્રતા નિભાવી, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના ઠરાવ પર મતદાન ના કર્યું
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 2:16 PM
Share

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં તેના મિત્ર રશિયાનું સમર્થન કર્યું છે. ભારતે મંગળવારે યુક્રેનમાં રશિયા દ્વારા કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગે યુએનના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યું હતું. ભારતની સાથે અન્ય 16 દેશો એવા હતા જેમણે પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ પણ વાચો: UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ભારતના કર્યા વખાણ, કહ્યું- ભારતનું નેતૃત્વ અનુકરણીય

વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાં જે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં યુક્રેનમાં માનવાધિકારના ઉલ્લંઘનને લઈને તપાસને મંજૂરી આપવાનો ઉલ્લેખ હતો. આ માટે ગયા વર્ષે એક સમિતિની રચના કરવામાં આવી હતી. યુએનમાં મતદાન દરમિયાન 28 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.

બંને દેશો ખુલ્લેઆમ પ્રસ્તાવની વિરુદ્ધમાં જોવા મળ્યા

તે જ સમયે, ચીન અને એરિટ્રિયા એવા બે દેશો હતા, જેમણે જનરલ એસેમ્બલીમાં ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. મતલબ કે આ બંને દેશો ખુલ્લેઆમ પ્રસ્તાવની વિરુદ્ધમાં જોવા મળ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે ભારતે મતદાનથી દૂર રહેવાની રણનીતિ અપનાવી હોય.

રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા તમામ ઠરાવ પર મતદાનથી દૂર

ગયા વર્ષે, જ્યારે તપાસ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યારે પણ ભારતે મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારત અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા તમામ ઠરાવ પર મતદાનથી દૂર રહ્યું છે.

યુક્રેનમાં કાર્યવાહીની નિંદાને લઈને ચિંતિત હતું

આમાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં છ ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં હતા, જેમાં રશિયા યુક્રેનમાં કાર્યવાહીની નિંદાને લઈને ચિંતિત હતું. નાટો સહિત પશ્ચિમના મોટાભાગના દેશો યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલા યુદ્ધની વિરુદ્ધ છે.

મતદાનથી દૂર રહ્યા પરંતુ નાગરિકો પરના હુમલા અંગે ચિંતિત

મતદાનથી દૂર રહ્યા પછી, યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર પવન બધેએ યુક્રેનમાં નાગરિકો પર હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી અને લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દે અમારું વલણ પહેલાથી જ સ્પષ્ટ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષ કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે બંને દેશોને આર્થિક રીતે નુકસાન થયું છે, પરંતુ યુક્રેનને માનવીય રીતે વધુ નુકસાન થયું છે.

Follow Us
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
g clip-path="url(#clip0_868_265)">