AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે હોળીના તહેવાર પર ઓછામાં ઓછા 150 ઉગ્રવાદીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે.

બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ
ISKCON temple vandalized in Bangladesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 2:00 PM
Share

બાંગ્લાદેશની (Bangladesh) રાજધાની ઢાકામાં ગુરુવારે હોળીના અવસર પર ઓછામાં ઓછા 150 ઉગ્રવાદીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર અહીંના ઇસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો (Attack on ISKCON Temple) થયો છે. દેશમાં લઘુમતી હિન્દુ સમુદાયના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા વોઈસ ઓફ બાંગ્લાદેશી હિન્દુએ (Hindus in Bangladesh) હુમલા બાદ કેટલીક તસવીરો શેર કરી છે. તેમજ મદદ માટે અપીલ કરી હતી. વોઈસ ઓફ બાંગ્લાદેશે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘શબ-એ-બરાતની રાત્રે ઉગ્રવાદીઓ ફરી એકવાર ઢાકાના વારી રાધાકાંતા ઈસ્કોન મંદિર પર હુમલો કરી રહ્યા છે.

અમે તમામ હિંદુઓને મંદિરની રક્ષામાં પોતાનો ભાગ ભજવવાની અપીલ કરીએ છીએ. આ ટ્વિટર હેન્ડલ પર હુમલા સાથે જોડાયેલી તસવીરો પણ શેર કરવામાં આવી છે. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે, જ્યારે ઉગ્રવાદી જૂથ ઢાકામાં ઈસ્કોન મંદિર પર હુમલો કરી રહ્યું હતું ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

હિંદુ મંદિર પર ટોળાએ હુમલો કર્યો

આ હુમલો રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો

આ કિસ્સામાં, હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા સત્તાવાર વેબસાઇટ પર એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હાજી સફીઉલ્લાહના નેતૃત્વમાં 150 લોકોએ ઢાકાના વારી પોલીસ સ્ટેશનમાં 22 લાલમોહન સાહા સ્ટ્રીટ સ્થિત ઇસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના 17 માર્ચની રાત્રે 8 વાગ્યે બની હતી. HAF વતી કહેવામાં આવ્યું છે કે, ‘તેઓએ મંદિર, મૂર્તિમાં તોડફોડ કરી અને પૈસા અને અન્ય કિંમતી સામાન લૂંટી લીધો. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ હિન્દુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

માનવાધિકાર નિયામકએ શું કહ્યું?

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને એક ટ્વિટમાં કહ્યું છે કે, મંદિર પર 150 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. દિપાલી કુલકર્ણીએ, હ્યુમન રાઈટ્સ, એચએએફના ડાયરેક્ટર, જણાવ્યું હતું કે, “એક અઠવાડિયા પહેલા, સમગ્ર વિશ્વએ બાંગ્લાદેશમાં બંગાળી હિંદુ નરસંહાર દરમિયાન માર્યા ગયેલા, વિસ્થાપિત અને બળાત્કારનો ભોગ બનેલા લોકોની 51મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. પરંતુ ઉગ્રવાદીઓ આપણને યાદ અપાવી રહ્યા છે કે હત્યાકાંડની અસર આજે પણ છે.

આ પણ વાંચો: GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">