AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: વિનાશના રસ્તે પાકિસ્તાન, નથી ઈચ્છતા સીરિયા-લિબિયા જેવી સ્થિતિ: ઈમરાન ખાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેમની પાર્ટીના સાડા સાત હજારથી વધુ લોકો હજુ પણ પોલીસના હાથે છે અને તેઓને તપાસ વિના આતંકવાદી ગણવામાં આવ્યા છે.

Pakistan: વિનાશના રસ્તે પાકિસ્તાન, નથી ઈચ્છતા સીરિયા-લિબિયા જેવી સ્થિતિ: ઈમરાન ખાન
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 10:31 PM
Share

પાકિસ્તાનમાં ચારે બાજુથી મુશ્કેલીમાં ઘેરાયેલા ઈમરાન ખાને બુધવારે સાંજે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે જો ચૂંટણી થાય અને ઈમરાન ખાન વડાપ્રધાન બને તો તેઓ પાકિસ્તાનના આર્મી ચીફને હટાવશે નહીં. એટલું જ નહીં, ઈમરાને ફરી સેના પ્રમુખ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન તેણે દાવો કર્યો છે કે પોલીસે તેની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથે મળીને એક હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Imran Khan Latest News: ઇમરાન ખાને તેની મુક્તિ બાદ કહ્યું હતું કે, આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો, લાકડીઓથી મારવામાં આવ્યો

આ દરમિયાન ઈમરાન ખાને ફરી પાકિસ્તાન આર્મી ચીફ પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ઈમરાને કહ્યું છે કે પાકિસ્તાની સેના ચૂંટણીથી ડરે છે. જો કે તેણે એવો પણ દાવો કર્યો છે કે દેશના 70 ટકા લોકો તેમની સાથે ઉભા છે. લાહોરના જમાન પાર્કમાં તેમના ઘર પર પોલીસ દ્વારા ઘેરાબંધી કરવા પર ઈમરાન ખાને કહ્યું છે કે કમાન્ડોએ તેમના ઘરને ઘેરી લીધું છે અને તેમના જવાનો રસ્તો પણ બંધ કરી દીધો છે. ઈમરાન ખાને કહ્યું કે તેણે કોઈની ગુલામી સ્વીકારી નથી, તે આઝાદ છે.

વિનાશના માર્ગે પાકિસ્તાન

પોતાને નિર્દોષ ગણાવતા ઇમરાને કહ્યું છે કે તપાસ વિના સેના અને સરકારે મને આતંકવાદી ગણાવ્યો છે. તેણે પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું છે કે ગમે તે થાય, તે પાકિસ્તાન છોડશે નહીં. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે પાકિસ્તાન વિનાશના માર્ગે જાય અને દેશની હાલત સીરિયા અને લિબિયા જેવી થઈ જાય.

લોકોને અને સેનાને લડાવતા રાજકારણીઓ

ઈમરાને વર્તમાન શાહબાઝ સરકારને ઘેરતા કહ્યું કે સરકારને સેના અને દેશના લોકો વચ્ચે લડાઈ થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા એક વર્ષથી ઈમરાન ખાનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઈમરાને દાવો કર્યો કે તેણે દુનિયાભરમાં પાકિસ્તાની સેનાનો બચાવ કર્યો છે. તેણે આમ કર્યું કારણ કે તે એક સ્વતંત્ર નાગરિક છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">