Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારને ઉથલાવી દેવાના કાવતરાથી માંડીને પોતાના માટેના ખતરા સુધી, ઈમરાને ઈસ્લામાબાદની રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર

ઈમરાન ખાને કહ્યું કે કોરોના દરમિયાન સંપૂર્ણ લોકડાઉન ન લગાવવા બદલ તેમની ટીકા થઈ હતી, પરંતુ તેમની નીતિઓને કારણે કોરોનાને સરળતાથી કાબૂમાં લઈ શકાયો અને લોકોને મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડ્યો.

સરકારને ઉથલાવી દેવાના કાવતરાથી માંડીને પોતાના માટેના ખતરા સુધી, ઈમરાને ઈસ્લામાબાદની રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
Pakistan Prime Minister Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 11:57 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) રવિવારે સાંજે રાજધાની ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી. ઈમરાને આ રેલી એવા સમયે સંબોધિત કરી જ્યારે વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ચૂક્યો છે. ઈમરાનનો હેતુ તેની રેલી દ્વારા બતાવવાનો હતો કે તેમને લોકોનું સમર્થન મળ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાનની રેલીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોને સંબોધિત કરતી વખતે ઈમરાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે વિપક્ષ પહેલા દિવસથી જ તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યો છે.

ઈમરાને કહ્યું કે વિપક્ષની નીતિઓને કારણે પાકિસ્તાન આટલું પાછળ પડી ગયું છે. દેશના પૂર્વ વડાપ્રધાનોએ લોકો માટે કંઈ કર્યું નથી અને માત્ર દેશને લૂંટ્યો છે. આ ભ્રષ્ટ નેતાઓને માફી પણ આપવામાં આવી, જેના કારણે દેશને નુકસાન થયું. રેલીમાં ઈમરાને પોતાની સરકારના પણ વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું કે કોરોના દરમિયાન સંપૂર્ણ લોકડાઉન ન લગાવવા બદલ તેમની ટીકા થઈ હતી, પરંતુ તેમની નીતિઓને કારણે કોરોનાને સરળતાથી કાબૂમાં લઈ શકાયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડ્યો. ઇમરાને કહ્યું કે અમારી વિદેશ નીતિ પર બાહ્ય શક્તિઓ દ્વારા નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

પૂર્વ નેતાઓની નિતીઓને કારણે દેશ પાછળ ધકેલાયો

રેલીમાં ઈમરાને કહ્યું કે વિપક્ષો છેલ્લા 30 વર્ષથી નેશનલ રિકોન્સિલેશન ઓર્ડિનન્સ (NRO)નો ઉપયોગ કરીને એકબીજાને બચાવી રહ્યા છે. વિપક્ષ પહેલા દિવસથી મારી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફના કારણે, આ ભ્રષ્ટ રાજકારણીઓ એનઆરઓ દ્વારા તેમના ખોટા કાર્યોને લઈને બચી ગયા હતા.

ઈમરાન ખાને કહ્યું કે જનરલ મુશર્રફે પોતાની સરકાર બચાવવા માટે આ ભ્રષ્ટ નેતાઓને NRO આપીને દેશને અશાંતિમાં ધકેલી દીધો. હું મારી સરકાર ગુમાવું કે મારું જીવન, હું તેમને ક્યારેય માફ કરવાનો નથી. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સમાધાન અધ્યાદેશ અથવા કહો કે NRO એક વટહુકમ છે, જેના દ્વારા નેતાઓ અને અધિકારીઓને માફી આપવામાં આવે છે.

પીએમ ઈમરાન ખાને કહ્યું કે અગાઉના નેતાઓની હરકતોથી દેશને સતત ધમકીઓ મળતી રહી. આપણા જ લોકોની મદદથી દેશમાં સરકારો બદલાઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ દેશ માટે સ્વતંત્ર આર્થિક નીતિ લાવવાનો પ્રયાસ કર્યો, તે સમયે મૌલાના ફઝલુર રહેમાન અને ‘ફ્યુજીટિવ નવાઝ શરીફે’ ભુટ્ટો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. ભુટ્ટોને તેમના કાવતરાઓને કારણે ફાંસી આપવામાં આવી હતી.

પાકિસ્તાની સેના પર પણ જોરદાર પ્રહાર કર્યો

ઈસ્લામાબાદમાં રેલી દરમિયાન ઈમરાન ખાને પાકિસ્તાની સેના પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમારી વિદેશ નીતિમાં બહારથી હેરાફેરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર પાસે પાકિસ્તાનના કેસમાં વિદેશી હાથ હોવાના પુરાવા છે. જો કે તેણે આ અંગે વધુ માહિતી આપી ન હતી.

આ પણ વાંચો :  Bahrain: બુરખો પહેરેલી મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી, રેસ્ટોરન્ટમાં મચ્યો ભારે હોબાળો

g clip-path="url(#clip0_868_265)">