AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News : વૈજ્ઞાનિકોનો દાવો ગાંજાથી થઇ શકે છે મગજ સંબંધી બીમારીઓનો ઇલાજ

Health News : એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે ગાંજાની નાની નાની કેપ્સૂલ જો ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવે તો મગજ સંબંધી કેટલીક બીમારીઓનો ઇલાજ થઇ શકે છે.

Health News : વૈજ્ઞાનિકોનો દાવો ગાંજાથી થઇ શકે છે મગજ સંબંધી બીમારીઓનો ઇલાજ
સાંકેતિક તસ્વીર
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 20, 2021 | 4:13 PM
Share

Health News : એક નવા અભ્યાસમાં વાત સામે આવી છે કે, ગાંજાની (Ganja) નાની નાની કેપ્સૂલ જો ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવે તો, મગજ સંબંધી કેટલીક બીમારીઓનો ઇલાજ થઇ શકે છે. ગાંજાનો ઉપયોગ હમેશા નશો કરવા માટે નથી થતો. તેના કેટલાક ચિકિત્સીય ફાયદા પણ છે.

કેટલાક દેશોમાં તેનુ સેવન કાનૂની રીતે માન્ય છે. જેરિલા થેરાપ્યૂટિક્સ નામની દવા કંપનીએ ગાંજાની (Ganja) નાની નાની કેપ્સુલ બનાવી છે. આ કેપ્સુલમાં કૈનાબિનૉયડ્સ હોય છે. જેને તમે ખાઇ શકો છો. તે શરીરમાં ઝડપથી પીગળી જાય છે અને મગજને રાહત આપે છે.

તેનુ પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યુ તો ઘણું સફળ રહ્યુ છે. જ્યારે લિક્વિડ એટલે કે તરલ રુપ એટલું ફાયદાકારક નથી. કર્ટિન યૂનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર અને કર્ટિન હેલ્થ ઇનોવેશન રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના શોધકર્તા રિયૂ તાકેચીએ કહ્યુ કે, કૈબનાબિડિયૉલની મદદથી મગજ સંબંધી બિમારીઓના ઇલાજ માટે દુનિયાભરમાં કામ ચાલી રહ્યુ છે. આમાં એક જ સમસ્યા છે, જો આને તરલ રુપમાં શરીરમાં આપવામાં આવે તો સરળતાથી એબ્જોર્બ નથી થતું.

પેટમાં એસિડિટી પેદા કરે છે. એટલે અમે નવી રીતે આને શરીરમાં સરળતાથી કામ કરવા લાયક બનાવ્યું છે. રિયૂ તાકેચીએ જણાવ્યું છે કે અમે આની એબ્જોર્બ કરવાની ક્ષમતાને વધારી દીધી છે. સાથે જ મગજ પર થનારી અસરને તેજ કરવામાં આવી છે. જેમાં પ્રાકૃતિક બાઇલ એસિડ પણ મળ્યું છે. આ કેપ્સુલ શરીરમાં જતાની સાથે જ ઝડપથી ઓગળી જાય છે અને તાત્કાલિક મગજને આરામ આપવાનુ શરુ કરે છે. આ સિવાય ખાવાથી એસિડિટીની પણ મુશ્કેલી થતી નથી.

આ દાવો 40 ગણો વધારે તેજ અને પ્રભાવી છે. ઉંદર પર આનો પ્રયોગ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. હવે રિયૂ તાકેચી આનુ ક્લીનિકલ ટ્રાયલ માણસો પર કરવા ઇચ્છે છે. જેથી આની અસર વિશે જાણકારી મળી શકે. જેરિલા થેરાપ્યૂટિક્સ દવા કંપનીના સીઇઓ ડૉ. ઓલૂડેઅર ઓડૂમોસૂએ કહ્યુ કે, રિયૂ સાથે કામ કરીને ઘણા સારા પરિણામ જોવા મળ્યા છે.

ગાંજાની કેપ્સૂલનો ફાયદો ઝડપથી થાય છે. આ મગજની બિમારીઓને સારી કરવામાં મદદ કરી શકે છે. ગાંજામાં એવા મેડિસિન રસાયણ હોય છે, જે અલ્જાઇમર્સ, મલ્ટીપલ સ્કલેરોસિસ અને ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી જેવી મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ફાયદો પહોંચાડી શકે છે.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">