Good news : કોરોના સામેની જંગ જીતવી થશે સહેલી, વધુ 2 દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

કોરોના મહામારી વચ્ચે હવે યુરોપિયન યુનિયન દ્વારા બે દવાઓને મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે EU ડ્રગ રેગ્યુલેટરે કહ્યું કે તેણે મોલોક્લોનલ એન્ટિબોડી સારવાર સમાપ્ત કરી દીધી છે જેમાં બંને દવાઓએ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

Good news : કોરોના સામેની જંગ જીતવી થશે સહેલી, વધુ 2 દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 7:00 AM

કોરોના (Corona) સામે એક માત્ર હથિયાર હોય તો તે છે વેક્સિન (Corona vaccine), પરંતુ હવે કોરોનાની દવા શોધવાની કામગીરી પણ ચાલુ છે. આ વચ્ચે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ ગંભીર બીમારીના જોખમવાળા લોકો માટે કોરોના વાયરસ સામે બે નવી દવાઓને અધિકૃત કરવાની ભલામણ કરી છે.

ગુરુવારે એક નિવેદનમાં, યુરોપિયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, તેણે મોનોક્લોનલ એન્ટિબોડી સારવારમાં કેસિરિવિમાબ (casirivimab) અને ઇમડેવિમાબનું (imdevimab) મિશ્રણ અને દવા રેગાડેનવિમાબ બંને ગંભીર રીતે કમજોર COVID-19 દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઘટાડવામાં સહાયક સાબિત થઇ છે.

EMA એ બંને દવાઓની સુરક્ષા પ્રોફાઇલને અનુકૂળ ગણાવી છે. એજન્સીએ કહ્યું કે આ દવાઓથી થતી આડઅસર ફાયદાની સરખામણીમાં ઘણી ઓછી છે. એજન્સીએ જણાવ્યું હતું કે બંને દવાઓ ઓક્સિજનની જરૂર નથી તેવા 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો, પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને આપી શકાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ની સારવારમાં મોનોક્લોનલ એન્ટિબોડીઝ – કેસિરીવિમાબ અને ઇમડેવિમાબના ઉપયોગને મંજૂરી આપી હતી. આ એન્ટિબોડી અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની Regeneran દ્વારા તૈયાર કરવામાં આવી છે. WHO એ તેની માર્ગદર્શિકામાં કહ્યું કે તેનો ઉપયોગ કોવિડના હળવા અને ગંભીર દર્દીઓની સારવારમાં થઈ શકે છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જ્યારે કોરોના સંક્રમિત થયો ત્યારે આ જ દવા આપવામાં આવી હતી.

મોનોક્લોનલ એન્ટિબોડી એ પ્રયોગશાળામાં બનાવેલ પ્રોટીન છે. તે શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડ્યા વિના વાયરસનો નાશ કરી શકે છે. મોનોક્લોનલ એન્ટિબોડીઝ સામાન્ય રીતે લેબમાં માનવમાંથી એન્ટિબોડી, માઉસ કોષમાંથી એન્ટિબોડી અથવા બંનેના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે.

કેસિરીવિમાબ અને ઇમડેવિમાબની કોકટેલ છે. કોકટેલ થેરાપીથી કોરોના દર્દીઓ  માટે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના આંકડા 70 ટકા સુધી ઘટાડવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ ટ્રમ્પે પોતે આ થેરાપી લીધી અને એક અઠવાડિયામાં જ કામ પર પાછા ફર્યા. જો કે, દવા મોંઘી છે. સિપ્લા આ દવાઓને બજારમાં રૂ. 59,000 પ્રતિ ડોઝના ભાવે વેચી રહી છે. આ થેરાપી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

કોકટેલ ટ્રીટમેન્ટ માત્ર કોરોના સંક્ર્મણના પ્રારંભિક તબક્કામાં અને ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ માટે ભલામણ કરવામાં આવે છે. આ એ જ ટ્રીટમેન્ટ છે જે ગયા વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે જે દર્દીને કોકટેલ દવા આપવામાં આવી હતી તે ડાયાબિટીસનો દર્દી છે. તે ઉચ્ચ જોખમમાં આવે છે.

આ પણ વાંચો : Corona Vaccine : દેશની 35 ટકા વસ્તી ફૂલી વેક્સિનેટેડ, એમ્સના ડોક્ટરએ બુસ્ટર ડોઝને લઈને આપ્યું એવું નિવેદન કે બન્યું ચિંતાનો વિષય

આ પણ વાંચો : એરપોર્ટ પર શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, જોઈને થંભી ગઈ બધાની નજર

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">