
શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાનના અનેક શહેરો પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલામાં અનેક વરિષ્ઠ ઈરાની નેતાઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ જોવા મળી રહી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના સાથી અને રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, “શાંતિ સ્થાપવાના નામે દંભ કરનારાએ ફરી એકવાર પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે. ઈરાન સાથે કરવામાં આવેલી તમામ વાટાઘાટો માત્ર એક બહાનું હતું. હકીકતમાં કોઈને પણ શાંતિ જાળવવામાં રસ નહોતો.”
મેદવેદેવે વોશિંગ્ટનની દાનત પર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે, અમેરિકાએ ક્યારેય ઈમાનદારીથી યુદ્ધ ટાળવા માટે વાતચીત કરી જ નથી. આ હુમલા સાબિત કરે છે કે મંત્રણા એ માત્ર દુનિયાની આંખમાં ધૂળ નાખવા માટેનું એક હથિયાર હતું.
તેહરાનમાં સ્થિત રશિયન એમ્બેસીએ અમેરિકા અને ઈઝરાયેલના ‘આક્રમક વલણ’ની સખત નિંદા કરી છે. રશિયન એમ્બેસીએ એક સત્તાવાર નિવેદન જારી કરીને ઈરાનમાં રહેતા રશિયન નાગરિકોને સલાહ આપી છે કે:
મધ્ય-પૂર્વમાં વધી રહેલો આ તણાવ હવે રશિયા અને અમેરિકા વચ્ચેના નવા શીત યુદ્ધ (Cold War) તરફ ઈશારો કરી રહ્યો છે.