પાકિસ્તાનના કહેવાથી જર્મનીએ આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે કહ્યું- પહેલા આતંકવાદને ડામો

ભારતે જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના નિવેદનોની ગંભીર નોંધ લેતા કહ્યું કે 'કાશ્મીર મુદ્દો' ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જમ્મુ-કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને તે અત્યાર સુધી ચાલુ છે.

પાકિસ્તાનના કહેવાથી જર્મનીએ આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે કહ્યું- પહેલા આતંકવાદને ડામો
S Jaishankar, External Affairs Minister, India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:13 AM

પાકિસ્તાનની મીઠી વાતોમાં આવીને જર્મનીએ પણ કાશ્મીરનો (Kashmir) રાગ આલાપ્યો છે. જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રએ (United Nations) આગળ આવવું જોઈએ. તેમણે આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહ્યાં બાદ કહી હતી. ભારત સતત કહેતું આવ્યું છે કે ‘કાશ્મીર’ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરબોકના કાશ્મીર રાગ બાદ ભારતને એ જ વાતનું પુનરાવર્તન કરવાની ફરજ પડી છે કે ‘કાશ્મીર મુદ્દો’ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

ભારતે શનિવારે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓ દ્વારા કાશ્મીર મુદ્દાના ઉકેલમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સામેલ થવો જોઈએ તેવી કરાયેલ વાતને ફગાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુએનને આહ્વાન કરવાને બદલે, વૈશ્વિક સમુદાયના તમામ સંનિષ્ઠ સભ્યોની જવાબદારી છે કે, તેઓ લાંબા સમયથી લડાઈ લડી રહેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો સામનો કરવાનો પ્રયાસ કરે. પાકિસ્તાન સ્થિત આતંકવાદે જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરને નિશાન બનાવવામાં આવ્યું છે.

‘કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે’

બાગચીએ જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના નિવેદનોની ગંભીર નોંધ લેતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને તે અત્યાર સુધી ચાલુ છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને સીમાપાર (પાકિસ્તાન) આતંકવાદ સામે અવાજ ઉઠાવવાની જવાબદારી વિશ્વની છે. બાગચી શુક્રવારે બર્લિનમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

‘આતંકવાદને ખતમ કરવાની જવાબદારી વિશ્વની છે’

“આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે વૈશ્વિક સમુદાયના તમામ ગંભીર અને સંનિષ્ઠ સભ્યોની ભૂમિકા અને જવાબદારી છે,” બાગચીએ કહ્યું. આ અત્યાર સુધી ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને FATF હજુ પણ 26/11ના ભયાનક હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની પાછળ છે.” બાગચીએ કહ્યું, “જ્યારે સ્વાર્થ કે ઉદાસીનતાના કારણે કોઈ દેશ આવી ધમકીઓને સ્વીકારતા નથી, તો પછી તેઓ શાંતિના ઉદેશને નબળો પાડે છે. આતંકવાદનો ભોગ બનેલા લોકો સાથે પણ ઘોર અન્યાય કરે છે.

બર્લિનમાં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શુક્રવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દાના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખ્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">