AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના કહેવાથી જર્મનીએ આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે કહ્યું- પહેલા આતંકવાદને ડામો

ભારતે જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના નિવેદનોની ગંભીર નોંધ લેતા કહ્યું કે 'કાશ્મીર મુદ્દો' ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જમ્મુ-કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને તે અત્યાર સુધી ચાલુ છે.

પાકિસ્તાનના કહેવાથી જર્મનીએ આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે કહ્યું- પહેલા આતંકવાદને ડામો
S Jaishankar, External Affairs Minister, India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:13 AM
Share

પાકિસ્તાનની મીઠી વાતોમાં આવીને જર્મનીએ પણ કાશ્મીરનો (Kashmir) રાગ આલાપ્યો છે. જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રએ (United Nations) આગળ આવવું જોઈએ. તેમણે આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહ્યાં બાદ કહી હતી. ભારત સતત કહેતું આવ્યું છે કે ‘કાશ્મીર’ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. આમાં અન્ય કોઈ દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરબોકના કાશ્મીર રાગ બાદ ભારતને એ જ વાતનું પુનરાવર્તન કરવાની ફરજ પડી છે કે ‘કાશ્મીર મુદ્દો’ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

ભારતે શનિવારે પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓ દ્વારા કાશ્મીર મુદ્દાના ઉકેલમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) સામેલ થવો જોઈએ તેવી કરાયેલ વાતને ફગાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે યુએનને આહ્વાન કરવાને બદલે, વૈશ્વિક સમુદાયના તમામ સંનિષ્ઠ સભ્યોની જવાબદારી છે કે, તેઓ લાંબા સમયથી લડાઈ લડી રહેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો સામનો કરવાનો પ્રયાસ કરે. પાકિસ્તાન સ્થિત આતંકવાદે જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીરને નિશાન બનાવવામાં આવ્યું છે.

‘કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે’

બાગચીએ જર્મની અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓના નિવેદનોની ગંભીર નોંધ લેતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીર દાયકાઓથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને તે અત્યાર સુધી ચાલુ છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને સીમાપાર (પાકિસ્તાન) આતંકવાદ સામે અવાજ ઉઠાવવાની જવાબદારી વિશ્વની છે. બાગચી શુક્રવારે બર્લિનમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને જર્મનીના વિદેશ મંત્રીઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.

‘આતંકવાદને ખતમ કરવાની જવાબદારી વિશ્વની છે’

“આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે વૈશ્વિક સમુદાયના તમામ ગંભીર અને સંનિષ્ઠ સભ્યોની ભૂમિકા અને જવાબદારી છે,” બાગચીએ કહ્યું. આ અત્યાર સુધી ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને FATF હજુ પણ 26/11ના ભયાનક હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની પાછળ છે.” બાગચીએ કહ્યું, “જ્યારે સ્વાર્થ કે ઉદાસીનતાના કારણે કોઈ દેશ આવી ધમકીઓને સ્વીકારતા નથી, તો પછી તેઓ શાંતિના ઉદેશને નબળો પાડે છે. આતંકવાદનો ભોગ બનેલા લોકો સાથે પણ ઘોર અન્યાય કરે છે.

બર્લિનમાં, પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શુક્રવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દાના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખ્યા વિના દક્ષિણ એશિયામાં શાંતિ શક્ય નથી.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">